________________
વોરમની કથા
૧૧૨
મહેન્દ્રપુર નામના નગરમાં ગુણદેવ નામને શેઠ વસતો હતો. તેને ગાયત્રી નામની સ્ત્રી હતી. તેને ઘણા દિવસે પુત્ર થશે. તે પણ કર્મયેગે જનમથી જ આંધળે અને બહેરે થયે. તેનું નામ પણ કાંઈ પાડયું નહીંજગતમાં તે આંધળો અને બહેરે એ નામે પ્રસિદ્ધ થયો. તે યુવાન થયો ત્યારે માતાપિતાએ તેને દેખતો કરવા માટે ઘણા ઉપાયો કર્યા, પણ તે બધા નિષ્ફલ ગયા. તેથી માતાપિતાએ વિચાર્યું કે અમે પૂર્વભવમાં એવું તે શું પાપ કર્યું હશે કે જેથી પુત્રરુપે આ શલ્ય અમારે ત્યાં પેદા થયું. આના કરતાં પુત્ર ન હોય તે સારું.
એક વખતે જ્ઞાની ગુરુ વનમાં પધાર્યા. તેમને સર્વ લેક વંદન કરવા ગયા. વંદન કરીને બેઠા. તે વખતે જ્ઞાની ગુરુએ કહ્યું કે હે ગુણદેવ શેઠ ! તમે તમારા જનમથી આંધળા. અને બહેરા છોકરા માટે ઘણું દુઃખ સહન કરે છે, તેને માટે હવે બીજે કઈ ઉપાય નથી. પિતાના કરેલાં પાપ. કમના ફળ સહુ કોઈને ભેગવવાં જ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org