________________
૧૩૨
કથામંજરી-૨ સાતમા માળે બેઠેલા શાલિભદ્રને કહેવા ગયાં કે “હે વત્સ આપણે ઘેર શ્રેણિક આવ્યા છે માટે તું નીચે ચાલ.”
શાલિભદ્ર સમજે કે શ્રેણિક નામનું કઈ કરિયાણું હશે ? માટે માતાને કહ્યું કે તમે જ ખરીદી લો અને વખારમાં ભરે. વળી ન મલે તે વેચી નાખજે. માતાએ કહ્યું કે એ કરિયાણું નથી, એ તો આપણું રાજા છે.
આ વચન સાંભળી શાલિભદ્ર ચિતવવા લાગ્યું કે સેવક છે, તે રાજા છે, તેમાં મારા પુણ્યની ખામી છે, એમ વિચારી નીચે આવી રાજાને પ્રણામ કર્યો. રાજાએ ખોળામાં બેસાડી ચુંબન કર્યું. શાલિભદ્ર, રાજાની પાસે કરમાઈ ગયે (જૂઓ ચિત્ર ૧૯). તેથી ખેાળામાંથી ઊઠી સાતમા માળે જતો રહ્યો. ભદ્રાએ રાજાને ભેજન કરવા માટે વિનંતિ કરી.
શ્રેણિક જમવા માટે હાથ દેવા લાગ્યો. હાથ દેતાં ધોતાં શ્રેણિકની વીંટી પડી ગઈ, તે ખાળકૂવામાં જતી રહી. ભદ્રાએ રાજાની વીંટી શેધવા માટે ખાળકૂવામાંથી પાણી બહાર કઢાવ્યું. તેમાં સંખ્યા વગરના આભૂષણો ઝળહળતા દેખ્યા. આ આભૂષણ આગળ પિતાની વીંટી તે શ્રેણિકને કોલસા જેવી લાગી.
આવું આશ્ચર્ય જોઈ રાજાએ દાસીને પૂછ્યું કે આ અમૂલ્ય આભૂષણે ખાળકૂવામાં ક્યાંથી? દાસીએ કહ્યું કે અમારે સ્વામી તથા તેમની બત્રીશ સ્ત્રીઓ હમેશાં નવાં નવાં આભૂષણે પહેરે છે. આગલા દિવસનાં પહેરેલાં આભૂષણ ઉતારી ખાળકૂવામાં નાખી દે છે. શ્રેણિક શાલિભદ્રની પુણ્યાઈ જોઈ આનંદ પામે. ભેજન કરીને પિતાના મહેલમાં ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org