________________
સુધન અને મદનની કથા મરીને વ્યંતર થશે” તે સાંભળી, સુધન પણ તે જ્ઞાની સાધુ પાસે આવ્યા. સાધુને વંદન કર્યું. - સાધુએ કહ્યું કે કીધેલાં કમ ભેગવ્યા વિના કેઈનો છૂટકે થતું નથી. માટે હે સુધન ! જે લક્ષમીના દુખે તું મરવા તૈયાર થયે છું, તે લક્ષમી અસાર છે, ચપલ છે, મને લીન છે, વીજળીના ઝબકારા જેવી છે. આવી લક્ષ્મીના માટે હીરા જેવા મનુષ્ય ભવને કણ ફોગટ ગુમાવે. આ પ્રમાણેને ઉપદેશ સાંભળી, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સુધને દીક્ષા લીધી. દીક્ષા લઈ શાસ્ત્ર ભણી ગીતાર્થ થયો. વળી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. આવા જ્ઞાની સુધન મુનિ વિહાર કરતા કરતા ઉત્તર મથુરામાં પહોંચ્યા. ત્યાં સમુદ્રદત્ત શેઠને ઘેર વહેરવા ગયા.
સમુદ્રદત્ત શેઠના ઘેર પિતાને સેનાને બાજોઠ, ક્રૂડી, થાળ, વાટકા, વાટકીઓ, દેરાસર, પ્રતિમા વગેરે ઓળખી લીધાં. વળી કાનેથી તૂટેલા સોનાના થાળમાં સમુદ્રદત્તને જમવા બેઠેલા જોયા. સુધન મુનિને પોતાના ઘરમાં આમ તેમ ફરતા જોઈશેઠે પૂછયું કે “મહારાજ ! શું જુએ છે?” તે વખતે મુનિએ પૂછયું કે “હે શેઠ ! આ બાજોઠ, કંડી વગેરે તમે કરાવેલાં છે કે તમારા પૂર્વજોના વખતનાં છે?” શેઠે કહ્યું કે “એ પ્રથમથી જ મારા ઘરમાં છે. મુનિએ પૂછયું કે “તમે આવા કાના તૂટેલા થાળામાં કેમ જમે છે ?” શેઠે કહ્યું કે “શું કરીએ એ થાળાને બીજે ટૂકડે બરાબર ચોટતે નથી.”
પછી ત્રાષિએ કેડમાંથી થાળાને ટૂકડે કહાડી થાળ ઊપાડીને તેની સાથે મેળવ્યું. એટલે ટૂકડે પોતાની મેળે
સમુદ્રદત્ત , “ જ સમુદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org