________________
૧૨૮
કથામંજરી-૨ ચેટી ગયે. થાળો આખે થયે, તે જોઈને શેઠના આખા કુટુંબને કૌતુક થયું. સાધુએ ચાલવા માંડયું. શેઠે તેમને વંદન કરીને પૂછયું કે “મહારાજ! આ શી બાબત છે?” સાધુએ કહ્યું કે “તું અસત્ય બેલે છે, તેથી હું તને શું કહું?” શેઠે કહ્યું કે “ખરી વાત એ જ છે કે આ ઋદ્ધિ મારા ઘેર આઠ વર્ષથી આવેલી છે.”
સાધુએ કહ્યું કે “આ સર્વ ઋદ્ધિ મારા દાદાના વખતની છે. મારા પિતા મરણ પામ્યા પછી, મારા દુર્ભાગ્યથી એ મારી નજરે ગઈ, તેથી મેં વૈરાગ્ય પામી દીક્ષા લીધી. મને અવધિજ્ઞાન ઉત્પન્ન થએલું છે, તેથી હું અહીં આવેલ. છું.” શેઠે કહ્યું કે “એ લક્ષમી આપની જ છે, હવે એ લો અને સુખ ભેગો.” સાધુએ કહ્યું કે “મારી નજરે જ એ જતી રહી, માટે હવે હું એને શી રીતે ભેગવું?” શેઠે પૂછ્યું કે “હે ભગવન! તમારા હાથથી આ ઋદ્ધિ ગઈ અને મારા ઘેર શા કારણથી આવી?”
સુધન મુનિએ કહ્યું કે પહેલાં શ્રીપુર નગરમાં જિનદત્ત નામનો શેઠ રહેતું હતું. તેને પદ્માકર અને ગુણાકર નામના બે પુત્રો હતા. શેઠે મરતી વખતે પિતાનું ધન અમુક ઠેકાણે છે એમ કહ્યું. પછી મેટાભાઈએ રાત્રિએ છાનામાના એ ધન કહાડી લીધું. પછી નાનાભાઈને કહ્યું કે ચાલો ધન કહાડીને આપણે બંને જણું વહેંચી લઈએ. પછી જમીન ખેદતાં ધન નહિ દેખવાથી નાનાભાઈને મૂછ આવી ગઈ ભાનમાં આવ્યા પછી મોટાભાઈએ નાનાભાઈને ઉપરથી કહ્યું કે એ ધન તું કહાડી ગયો છું. એ રીતે મોટેભાઈ વિશ્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org