________________
સુધન અને મદનની કથા
૧૦૯
દક્ષિણ
ક્ષિણ દેશમાં આવેલી દક્ષિણુ મથુરા નગરીમાં ધનદત્ત નામનો શેઠ રહેતા હતા. તે કેટિ દ્રવ્યના માલિક હતા. તેને સુધન નામને પુત્ર હતા. તે શેઠને સ્થલમાર્ગે માલ લઈ જવા લાવવા માટે પાંચસેા ગાડાં હતાં. વળી સમુદ્ર માર્ગે માલ લઇ જવા લાવવા માટે કેટલાક વહાણા પણ હતા. વળી કેટલુંક ધન શેઠે વ્યાજે પણ આપેલું હતું, અને કેટલુંક ધન ભંડારમાં ભરી રાખેલું હતું.
તે વખતે ઉત્તર મથુરામાં સમુદ્રદત્ત નામના એક વ્યાપારી હતા, તેને અને ધનવ્રુત્ત શેઠને બહુ જ પ્રીતિ હતી. બંને જણા એકબીજાનો માલ લેવા વેચવા માટે મેકલતા હતા. એમ કરતાં એક વખત ધનદત્ત શેઠ દાહવરની પીડાથી ઓચિંતો મરણ પામ્યા. સગાવહાલાંઓએ તેની ગાદીએ સુધનને સ્થાપ્યા. હવે સુધન ઘરની તથા વ્યાપારની દેખરેખ રાખવા લાગ્યા.
સુધન એક વખત સેાનાના ખાજો ઊપર સ્નાન કરવા બેઠી. તેની આગળ સેાનાની કુંડી પાણીથી ભરીને સેવકાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org