________________
૧૨૪
થામંજરી-૨
અભયકુમારે કુંવારી કન્યાની કથા કહીને, પિતાની બુદ્ધિના બળથી તે માતંગને ચાર તરીકે પકડી પાડ્યો. રાજાએ તે માતંગને પૂછયું કે ગઢની અંદરની મારી વાડીમાંથી આંબાની કેરીઓ તેં કેવી રીતે લીધી? તે વખતે માતંગે કહ્યું કે મારી વિદ્યાના બલથી કેરીઓ મેં લીધી હતી.
શ્રેણિકે કહ્યું કે જે તે વિદ્યા તું મને આપે, તે હું તને આ ગુન્હાની માફી આપું. માતંગે તે માગણી કબુલ રાખી. તે વખતે રાજાએ પિતે સિંહાસન ઊપર બેઠાં બેઠાં વિદ્યા શીખવા માંડી. માતંગે ઘણે વખત વિદ્યા શીખવવા માંડી, પણ રાજાને તે આવડતી નહીં. તે વખતે અભયકુમારે કહ્યું કે “હે મહારાજ ! વિનય વિના વિદ્યા આવડે જ નહીં.” તે સાંભળી રાજાએ પિતે સિંહાસનથી નીચે ઉતરી માતંગને સિંહાસન ઊપર બેસાડ્યો. પિતે માતંગની આગળ બે હાથ જેડી વિદ્યા શીખવા બેઠે, તેથી ચંડાલે એક જ વાર વિદ્યા કહી કે તરત જ રાજાને તે વિદ્યા આવડી ગઈ.
એ રીતે વિનય કરીને વિદ્યા લેવાથી વિદ્યા આવડી ગઈ વિનય વિના વિદ્યા નહિ, એ કહેવત આ કથા સાચી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org