________________
શ્રેણિક રાજાની કથા
૧ ૦૮
(જગૃહી નગરીમાં શ્રેણિક નામનો રાજા રાજ્ય કરતો હતું, તેને ચેલણા નામની પટરાણી હતી. રાણુને. એક વખતે એક જ થાંભલાવાળા મહેલમાં રહેવાનો દેહદ ઉત્પન્ન થયે. તે વાત શ્રેણિકે અભયકુમારને કહી. અભયકુમારે દેવની આરાધના કરી. દેવતા પ્રત્યક્ષ થયો. તેની પાસે એક થાંભલાવાળો મહેલ કરાવ્યું. તે મહેલની ચારે બાજુ ફરતાં ચાર વન કરાવ્યાં. તે ચારે વનમાં સર્વ ત્રતુના ફલ તથા ફૂલ નિરંતર તૈયાર થતાં હતાં. આ પ્રમાણે તૈયાર કરાવેલા મહેલમાં રાણીને રાખીને તેણીનો દેહદ સંપૂર્ણ કરવામાં આવ્યું,
હવે તે જ નગરમાં એક માતંગની સ્ત્રીને અકાળે કેરી. ખાવાનો દેહદ ઉત્પન્ન થયે. તે માતંગે અવનમન નામની વિદ્યાના બળથી રાજાના વનમાં આવેલ સર્વ ઋતુમાં કેરી દેવાવાળા આંબાની ડાળ નમાવીને, તેનાં ફલ લઈને પિતાની સ્ત્રીનો દેહદ પૂર્ણ કર્યો. રાજાએ અભયકુમારને કહ્યું કે આપણી વાડીમાંથી આંબાની કેરીઓ કેણે ચેરી લીધી છે, તે ચારને.
ધી કહાડવે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org