________________
૧૨૨
કથામંજરી-૨ છે. એ પ્રમાણે ગુરુનું નામ ખોટું દેવાથી, તે બ્રાહ્મણને ત્રિદંડ જે આકાશમાં અદ્ધર રહેલું હતું, તે સડસડાટ કરતો આકાશથી નીચે આવીને પડ્યો. તે વખતે લોકેમાં તેની મશ્કરી થઈ અને જેટલું માન વધ્યું હતું, તેનાથી બમણું તેની નિંદા થઈ. જે લોકો તેની પૂજા કરતા હતા તેઓએ પણ તેની ભક્તિ કરવી મૂકી દીધી.
આ રીતે જે પુરુષ વિનય વિના વિદ્યા શીખે, ગુરુનું નામ છૂપાવે; ગુરુને અવિનય કરે, તેની વિદ્યા નિષ્ફલ થાય છે. તેમ જ બીજા ભવમાં તેને વિદ્યા જલદી પ્રાપ્ત થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org