________________
આંબા અને લીંબાની કથા
૧૧૭ ફરવામાં મશગુલ રહેતું હતું. ભણવાથી શું થાય? ધર્મ કરવાથી શું મલવાનું હતું? જે ધર્મ કરે તે સુખી કેમ થતા નથી? આવી રીતના વિચારો ધરાવતે તથા લોકોને પણ એ જ ઉપદેશ આપતો હતો.
બંને જણા મિત્રો હોવા છતાં પણ બંનેના સ્વભાવમાં મોટું અંતર હતું. મણિ અને કાચને એક સાથે બાંધ્યા હોય, તો પણ મણિ તે મણિ કહેવાય છે, અને કાચ તે કાચ જ કહેવાય છે. તેવી જ રીતે બંને મિત્રો હેવા છતાં પણ અંબે ધર્મની સ્થાપના કરતો હતો, અને લીંબે ધર્મની ઉત્થાપના કરતો હતો. ધર્મની ઉત્થાપના કરવાના પાપબંધનથી લીંબો મરીને નરકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળીને તારે ત્યાં નોકર તરીકે મૂગે, મૂર્ખ, દુર્ભાગી અને કદરૂપે ઉત્પન્ન થયે.
વળી હે કુશલ! તે જ્ઞાનપંચમીનું તપ કર્યું, ગુરુની તથા જ્ઞાનીની ભક્તિ કરી, તેથી તે ઉત્તમ બુદ્ધિવાળે અને પદાનુસારિણી પ્રજ્ઞાવાળે થયો છું. ગુરુની આ પ્રમાણેની વાણી સાંભળીને કુશલને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાના પૂર્વ ભવ દીઠા. તેજ વખતે ગુરુ પાસે શ્રાવકના બાર વ્રત ઉચરી દેશવિરતિ થયો. પોતાની સ્ત્રી સુંદરી સાથે પિતાના ઘેર આવ્યા. વિચિત્રગતિ વિદ્યાધર વૈતાઢય પર્વત પર પોતાના નગરે ગયે.
ઘેર આવ્યા પછી અનુક્રમે પુત્ર પ્રાપ્તિ થઈ. કુશલ અને તેની સ્ત્રીએ પંચમીનું તપ કર્યું, તપ પૂર્ણ થયે તપનું ઉજમણું કર્યું. શ્રી સંઘની ભકિત કરી. પછી ઘરનો ભાર પુત્રને સેંપીને કુશલે પિતાના પિતા સહિત દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી મોક્ષે ગયે. લીંબાનો જીવ ઘણે સંસાર ભમશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org