________________
આંબા અને લીંબાની કથા
૧૧૫ યુદ્ધમાં લાગેલા ઘા મેં ત્રણસંહણી ઔષધિથી મટાડી દીધા. પછી તે વિદ્યાધર સ્ત્રીને લઈને પિતાના સ્થાનકે ગયે. પરંતુ હે ભાઈ ! હું ધમાધમમાં આકાશગામિની વિદ્યાનું એક પદ ભૂલી ગ છું, તેથી ઉઠું છું અને પડી જાઉં છું. આવી વાત સાંભળીને કુશલે કહ્યું કે તમારી વિદ્યાનું પહેલું પદ મને યાદ કરીને કહે. તે વિદ્યાનું પહેલું પદ વિદ્યારે કહી સંભળાવ્યું. તે સાંભળીને કુશલે પદાનુસારિણી વિદ્યાના બળે આકાશગામિની વિદ્યાના બાકીના પદો કહી સંભળાવ્યા. વિદ્યાધર કુશલની આવી શક્તિ જોઈ વિસ્મય પામ્યો અને આનંદિત થયો. પછી વિદ્યારે વિચાર્યું કે આ પુરુષ વિદ્યા, બુદ્ધિ, રૂપ અને ગુણે કરીને ઉત્તમ છે, અને પરોપકાર કરવામાં પણ તત્પર છે. આવા પુરુષે વિરલ જ હોય છે. કુશલના માતા પિતાનું નામ તથા ઠેકાણું પૂછી વિદ્યાધર પિતાના સ્થાનકે ગયે.
બીજા દિવસે સમણ શેઠનું ઘર પૂછતા વિદ્યાધર આવ્યો. તે વખતે કુશલને દેવપૂજા કરતે દેખીને વિદ્યારે પૂછયું કે તું આ શું કરે છે? કુશલે કહ્યું કે શ્રી જિનેશ્વર દેવની પૂજા કરું છું. તે સાંભળી વિદ્યારે પણ જિનધર્મને સ્વીકાર કર્યો, અને કહેવા લાગ્યું કે એક તો આકાશગામિની વિદ્યાનું પદ મને સંભાળી આપ્યું અને જિનેશ્વરને માર્ગ બતાવ્યું. આ બે ઉપકાર મારા ઉપર કરવાથી હું તમારે તાબેદાર છું, પછી તે શેઠને કહેવા લાગ્યો કે મારા પિતાએ એક નિમિત્તિયાને પૂછ્યું હતું કે મારી પુત્રીને વર કોણ થશે? તે વખતે તેને કહ્યું હતું કે તારે પુત્ર વિદ્યા ભૂલી જશે, તેને જે વિદ્યા સંભાળી આપશે તે, તમારી પુત્રીને વર થશે, તેથી હે શેઠ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org