________________
આંબા અને લીંબાની સ્થા -
૧ ૦૫ Lદરાવાસ નગરમાં વેસમણ નામને એક શેઠ રહેતે હતો. તે શેઠને કુશલ નામને એક પુત્ર હતો, તે બોંતેર કલાને જ્ઞાતા હતા. તે શેઠને ત્યાં એક મુગે, દુર્ભાગી અને કદરૂપે તથા મુખરોગવાળો એક નોકર હતો. કુશલ તે નેકર ઊપર સ્નેહ ધરાવતા હતા. વળી કુશલ જિનધર્મને ઉપાસક હતા.
એક વખત કુશલ જંગલમાં ક્રિીડા કરવા માટે ગયે. ત્યાં એક વિદ્યાધરને ઉંચા ઉછળી, પા છે નીચે પડતો દે . કુશલે તેને પૂછયું કે તમે ઉત્તમ પુરુષ હોવા છતાં પાંખ વગરના પંખીની માફક કેમ ઉડે છે અને પડો છો ? તે સાંભળી વિદ્યાધર બોલ્યો કે હું વૈતાઢય પર્વતને રહેવાસી વિચિત્રગતિ નામને વિદ્યાધર છું. હમણાં હું શ્રી પર્વતે ગયો હતું, ત્યાંથી પાછા વળતાં મારો મિત્ર વિદ્યાધર મલ્યો, તેને કેટલાક શસ્ત્રના ઘા પડેલા મેં જોયા, એટલે મેં પૂછયું કે તને આ ઘા શાથી પડ્યા? તેણે કહ્યું કે મારી સ્ત્રીને એક બીજે વિદ્યાધર લઈ જતો હતો, તેની પછવાડે જઈ યુદ્ધ કરી મારી સ્ત્રીને પાછી લાવી અહીં રહ્યો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org