________________
સુબુદ્ધિ અને દુબુદ્ધિની કથા
૧૧૩ સાંભળ્યા પછી મતિસાગર પ્રધાને ગુરુ મહારાજને પિતાના બંને પુત્રોની બુદ્ધિના તફાવતનું કારણ પૂછયું.
ગુરુએ કહ્યું કે હે પ્રધાન ! આ જ નગરમાં વિમલ અને અચલ નામના બે વાણીયા રહેતા હતા. બંનેના સ્વભાવ જૂદા હતા. તેમાં વિમલે દીક્ષા લીધી, અને દેવ, ગુરુ, સિદ્ધાંતની ભક્તિ કીધી. શાસ્ત્ર ભણે, બીજા સાધુઓને ભણાવ્યા. આચાર્યપદવી પામે, પછી ઘણું જીને ધર્મોપદેશ દઈ, પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા દેવલોકે દેવતા થયે. બીજે જે અચલ હતું, તે તપસ્વી, જ્ઞાની અને ધર્મી જનોની નિંદા વગેરે કરતે, સર્વની અવજ્ઞા કરતો હતો. તે મરીને બીજી નરકમાં ઉત્પન્ન થયે.
વિમલને જીવ દેવલથી વીને, તારો સુબુદ્ધિ નામને પુત્ર થયું છે. અને અચલને જીવ નરથી નીકળીને, પૂર્વભવમાં આચરેલી નિંદા વગેરે પાપાએ કરીને તારે દુર્બુદ્ધિ નામને પુત્ર થયો છે. તે હજી સંસારમાં ઘણું પરિભ્રમણ કરશે. આ પ્રમાણે પિતાના પૂર્વભવની વાત સાંભળીને સુબુદ્ધિએ શ્રાવક ધર્મ અંગિકાર કર્યો. કેટલાક દિવસ પછી દીક્ષા પણ લીધી. સિદ્ધાંત વગેરે ભ. નિરતિચાર ચારિત્ર પાળી, પાંચમા દેવલોકે દેવતા થશે. અનુક્રમે ત્યાંથી ચ્યવને મનુષ્યજન્મ પામી મેક્ષે જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org