________________
૧૧૨
કથામંજરી-૨ શકવાથી, ત્રણે જણ અફસેસ કરવા લાગ્યા. એવામાં પ્રધાનને મેટો પુત્ર સુબુદ્ધિ ત્યાં આવ્યું. તેની આગળ આ ચારે નિધાનેને સંબંધ કહી સંભળાવવામાં આવ્યું. સુબુદ્ધિએ કહ્યું કે રાજાજીને હુકમ હોય તે હું તમારે ઝઘડે પતાવી આપું.
રાજાએ આજ્ઞા આપી. સુબુદ્ધિએ ચારે પુત્રને એક તમાં લાવીને કહ્યું કે તમારે પિતા ઘણે જ બુદ્ધિશાળી હતું. તેણે ચારે ભાઈને લાખ લાખ દ્રવ્ય આપેલું છે. મોટાભાઈના નિધાનમાં વાળ રાખ્યા છે, તેથી ઘોડા, ગાય, ભેંશ, ઊંટ વગેરે ચાર પગ રૂપ જે દ્રવ્ય છે, તે મોટાભાઈને આપેલું છે. બીજાના નિધાનમાં માટી છે, તેથી તેને ખેતર, જમીન વગેરે રૂપ જે ધન છે, તે તેને આપેલું છે. ત્રીજાના નિધાનમાં કાગળ અને ચેપડા છે, તેથી વ્યાજે આપેલું નાણું તથા ચપડે જે લેણું છે, તે રૂપ જે ધન, તે તેને આપેલું છે. નાનાભાઈને સોનું તથા રત્ન જે ઘરમાં છે, તે રૂપ ધન, તે તેને આપેલું છે.
આ સાંભળી ચારે જણાએ મળીને હિસાબ તપાસી જે, તે તે ચારેને સરખા ભાગે લાખ લાખ દ્રવ્યની વહેંચણી કરી આપેલી જણાઈ. પછી ચારે જણા રાજા પાસે ગયા અને કહ્યું કે હે સ્વામી ! સુબુદ્ધિએ અમારા ઝઘડાને નિવેડે બરાબર કરી આપે છે. આ સાંભળી રાજા ખુશી થયે. સુબુદ્ધિની લેકે માં બહુ જ કીર્તિ ફેલાઈ.
એવામાં કઈક જ્ઞાની ગુરુ મહારાજ તે નગરના ઉદ્યાનમાં પધાર્યા. તેઓને રાજા, પ્રધાન, પ્રધાનના બંને પુત્રો તથા નગરજને વંદન કરવા ગયા. વંદન કરીને ધર્મોપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org