SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ધનસાર શેઠની કથા ૧૫ એમ કરતાં મોટા ભાઈની લક્ષ્મી દિવસે દિવસે વધવા લાગી. નાનો ભાઈ તે એક પાઈ પણ દાન કરતો નહિ, તેથી તેની લક્ષ્મી ખૂટવા લાગી. પછી નાને ભાઈ ધન મેળવવા માટે મેટા ભાઈ સાથે કર્યો કરવા લાગ્યા. કજીયાથી કંટાળી મોટા ભાઈએ ગુરુની દેશના સાંભળી ગુરુ પાસે દીક્ષા લીધી. કાળધર્મ પામી પહેલા દેવલેકે દેવતા થયે. નાનો ભાઈ કૃપણ હેવાથી લોકેથી નિંદાતે તાપસ થઈ અજ્ઞાન તપ કરી અસુરકુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવને અહીં તું ધનસાર નામે શેઠ થયે. અને હું મેટોભાઈ દેવલથી ચ્યવને તામ્રલિપ્તી નગરીમાં એક વ્યાપારીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે. અનુક્રમે યૌવન વય પામી, દીક્ષા લઈ કર્મક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને, હું અહીં આવ્યો છું. ધનસાર કેવળી ભગવાનને પોતાના ગયા ભવના ભાઈ જાણીને ખૂબ આનંદિત થયો. ' ગુરુએ કહ્યું કે તે ગયા ભવમાં દાન દીધું નહિ, તેથી તું કંજુસ થયો. અને મને દાન દેતાં વારતો હતો, તેથી તારું ધન નાશ પામ્યું. આ વૃત્તાંત સાંભળીને ધનસારે એ નિયમ લીધે કે, હવેથી હું જેટલું ધન ઉપાર્જન કરૂં તેને ચોથે ભાગ ધર્મકાર્યમાં વાપરું. એ નિયમ આ જીંદગીના અંત પર્યત લઉં છું. વળી મારે પારકા દોષ પ્રગટ ન કરવા, એમ કહી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, અને પાછલા ભવને પિતાનો અપરાધ કેવલી ભગવાનની સાખે ખમાવ્યો. ધનસાર એક દિવસ સૂના ઘરમાં પસહ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં ઊભે હતો. તે વખતે કઈક વ્યંતર દેવ કેપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy