________________
૧૦૪
કથામંજરી-૨ દિવસ બહાવરે થઈ ફરવા લાગે. લેકે તેની મશ્કરી કરવા લાગ્યા.
એક વખત ધનસાર દસ લાખ વાસણે વહાણેમાં ભરીને વહાણમાં બેસી દેશાવર ઉપડ્યો. ત્યાં પણ કર્મસંગે સમુદ્રમાં ગાજ, વીજ સાથે ભયંકર વરસાદ થશે. તોફાનમાં વહાણે ભાંગી ગયાં. એક વહાણનું પાટીયું હાથમાં આવવાથી, તેની મદદથી કાંઠે આવ્યા. ત્યાંથી રખડતો રખડતા ઘેર આવી પહોંચે. મનમાં વિચારવા લાગ્યો કે હું લક્ષ્મી પાપે, તે પણ સુપાત્રે દાન દીધું નહિ; દેતાને દેવા દીધું નહિ, અને પરોપકારાદિ કેઈ કાર્યો કર્યો નહિ. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે લક્ષ્મીની ત્રણ ગતિ હોય છે. દાન, ભાગ અને નાશ, મારી લવમીની તે માત્ર ત્રીજી ગતિ થઈ એટલે નાશ જ પામી.
એક વખત ઉદ્યાનમાં કેવળી ભગવાન સમવસર્યા. શેઠે તેઓશ્રીને વંદન કરીને ધર્મદેશના સાંભળી. પછીથી પૂછયું કે –“હે ભગવન્! હું કયા કર્મના ઉદયથી મહાકંજુસ થયે? તથા મારી બધી લક્ષમી જતી રહી તેનું શું કારણ કેવળી ભગવાન કહેવા લાગ્યા કે હે શેઠ! તારે પૂર્વભવ સાંભળઃ
ધાતકીખંડના ભરતક્ષેત્રમાં એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બંને મહા ઋદ્ધિવાળા હતા. તેમાં મોટે ભાઈ સરલ, ઉદાર અને ગંભીર હતે. નાનો ભાઈ રૌદ્ર પરિણામવાળો અને કંજુસ હતો. તે મોટા ભાઈને પણ દાનાદિક સુકૃત્ય કરતાં વારતો હતો. તે પણ મટેભાઈ દાન આપ્યા કરતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org