________________
શિવકુમાર અને યજ્ઞદત્તની કથા
૧૦૧ ધારિણીએ કપટકળા કેળવીને પોતાના પુત્રને કહ્યું કે હે વત્સ! કેઈપણ હથિયાર ધારીને વિશ્વાસ કરીશ નહિ.
એક વખતે લાગ જોઈને શિવકુમારને ધારિણું કહેવા લાગી કે ગોવાળિયાઓ આપણું ગોકુલની બરાબર રક્ષા કરતા નથી, માટે તમે બંને જણે જઈને ગાયની બરાબર સંભાળ રાખવાની ગોઠવણ કરો. બંને જણા હાથમાં હથિયાર રાખી જંગલમાં ગયા. બંને જણા એક બીજાનો વિશ્વાસ રાખ્યા વિના, આગળ પાછળ જતા હતા. એક ટેકરા ઉપરથી નીચે ઉતરતાં યજ્ઞદત્તે તલવાર કહાડી, તે શિવકુમાર જાણું ગયો. તેથી ત્યાંથી નાશીને ગોકુલમાં જતો રહ્યો. ત્યાં પહેંચ્યા પછી બંને જણાએ ગોવાળિયાઓને શીખામણ આપીને સમજાવ્યા.
રાત્રિ પડતાં બંને જણે ગાયેના વાડામાં શય્યા પાથરીને સૂતા. અંધારામાં શિવકુમારે ઊઠીને પિતાના બદલે તલવાર રાખી ઉપરથી ચાદર ઢાંકીને, પિતે ગાયેના ટેળામાં છાને માને બેસી રહ્યો. એટલામાં યજ્ઞદત્ત આતે રહીને તલવાર કહાડીને શિવકુમારની પથારી ઉપર ઘા કર્યો. તે વખતે શિવકુમારે ગાયોના ટોળામાંથી છાને માને આવી ઘા કરીને યજ્ઞદત્તને મારી નાખ્યો. અને શિવકુમાર તથા ગોવાળિયાઓ ચોર! ચાર! કરીને બૂમ પાડી કહેવા લાગ્યા કે યજ્ઞદત્તને ચેરેએ મારી નાખે.
શિવકુમારને એક્લો ઘેર આવેલે જાણી માતાએ પૂછયું કે યજ્ઞદત્ત ક્યાં છે? શિવકુમારે કહ્યું કે પાછળ આવે છે. રાતને ઉજાગરે હોવાથી શિવકુમાર ઉંઘી ગયો. માતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org