________________
૯૨
કથામંજરી-૨
""
સામત કરવી. મહાટાને વિનય કરવા. વળી તારા મિત્ર અશાકદત્ત છે તે માયાવી છે, માટે તેની સેાખત કરીશ નહિ. પિતાની શિખામણ સાંભળી અશેાકદત્ત મેલ્યા કે “ હું પિતાજી! કુલની લાજ જાય એવું કૃત્ય હું નહિ કરૂં.
પુણ્યભદ્ર શેઠે પણ સાગરચંદ્રના ઉપકાર જાણીને પોતાની પ્રિયદર્શના પુત્રી મહાટા મહેાત્સવથી સાગરચંદ્રને પરણાવી. અન્ને જણા આનંદથી સુખ ભાગવવા લાગ્યા.
એક વખત સાગરચંદ્ર વ્યાપાર માટે દેશાવર ગયે. અશાકદત્ત મિત્રને ઘેર આવી કપટથી પ્રિયદર્શનાને સ્નેહ દેખાડતા કહેવા લાગ્યા કે આપણે બન્ને જણા સ્નેહ ખાંધીએ. તેના આવા અનુચિત વાક્યો સાંભળતાં જ પ્રિયદર્શનાએ તેને ઘરની બહાર કહાડી મૂકયો.
બહાર નીકળતાં જ દેશાવરથી સાગરચંદ્રને આવતા જોયેા. અશેાકદત્તે તેને કહ્યું કે તારી ગેરહાજરીમાં તારી સ્ત્રીએ મારી સાથે સ્નેહ કરવાની માગણી કરી હતી, પરંતુ મેં તે વાતને નિષેધ કર્યાં હતા. સાગરચંદ્રે કહ્યું કે આવું અઘટિત કાર્ય કરવું ન જોઇએ.
ઘેર આવતાં, પ્રિયદર્શનાના મુખથી સઘળા વૃત્તાંત જાણવામાં આવ્યેા. તે વખતે પેાતાના પિતાએ આપેલી શિખામણ વાસ્તવિક જણાઇ. પછી પાતે ધર્મકાર્યમાં સમય વ્યતિત કરવા લાગ્યા. અનુક્રમે પતિ અને પત્નિ અને જણા જંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણ ખંડમાં ગંગા અને સિંધુ નદીની વચ્ચે, ત્રીજા આરામાં નવસે ધનુષ પ્રમાણ દેહવાળા યુગલિયા થયાં; અશેાકદત્ત મરીને ચાર દાંતવાળેા હાથી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org