________________
સાગરચન્દ્ર તથા અશોકદત્તની કથા
હાવિદેહ ક્ષેત્રમાં અપરાજિતા નામની નગરીમાં ઈશાનચંદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ચંદનદાસ નામના એક શેઠને ગુણવાન સાગરચંદ્ર નામને પુત્ર હતો. તેને અશેકદત્ત નામને એક કપટી મિત્ર હતો. વસંતકીડા માટે રાજાનો આદેશ થયે કે બધાએ વસંતકીડા માટે વનમાં આવવું.
રાજા, સાગરચંદ્ર તથા અશોકદર તથા નગરના લાખે માણસે વનમાં વસંતકીડા માટે ગયા. ત્યાં સર્વ ઠેકાણે ગીત, ગાન, નાટક તથા હીંચકા વગેરેની જૂદી જૂદી રમતોમાં લેકે તલ્લીન થઈ ગયા. તે વખતે રાખો રાખે ” એવો અવાજ સાંભળવામાં આવ્યો. તે વખતે સાગરચંદ્ર હાથમાં તલવાર લઈને દેડક્યો, તે તેણી નજરે પુણ્યભદ્ર શેઠની દીકરી પ્રિયદર્શનને ચેર લેકે ઊપાડી જતા જણાયા. સાગરચંદ્ર ચાર લોકોને હરાવીને કાઢી મૂક્યા.
આ વાત સાગરચંદ્રના પિતાના જાણવામાં આવી. સાગરચંદ્ર ઘેર આવ્યો, ત્યારે તેના પિતા ચંદનદાસે તેને શિખામણ આપી કે –“હે વત્સ ! ઉદ્ધતપણું ન કરવું. પિતાની શક્તિ પ્રમાણે જ બલ બતાવવું. દ્રવ્ય પ્રમાણે વેશ રાખવે. સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org