SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ શ્રાવકની કથા ૮૯ ભિક્ષાને માટે નગરમાં જઈ અન્ન પાણી વહારીને પાછા વળતા હતા, તે વખતે કોલ્લાગ ગામ તરફ ઘણા લોકોને જતાં દેખીને ગૌતમસ્વામીએ પૂછયું કે આ બધા કયાં જાય છે? ત્યારે કેઈએ કહ્યું કે હે મહારાજ ! આનંદ શ્રાવકે અનશન કર્યું છે, તેમને વંદન કરવા જાય છે. તે સાંભળી ગૌતમસ્વામી પણ આનંદ શ્રાવકની સુખશાતા પૂછવા ત્યાં ગયા. ગૌતમસ્વામીને પધારેલા જોઈને આનંદ અત્યંત હર્ષ પામ્યા, અને કહેવા લાગ્યા કે હે પૂજ્ય ! હું ઊઠી શકો નથી માટે આપ નજીક પધારે, તે આપના પગનો હું મારા મસ્તકે સ્પર્શ કરું. તે સાંભળી શ્રીગૌતમસ્વામીનજીક પધાર્યા. તે વખતે આનંદે ત્રિકરણ શુદ્ધિએ કરીને મસ્તક પગે લગાડીને વંદન કર્યું. આનંદે ગૌતમ સ્વામીને પૂછ્યું કે પ્રભુ ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય? ગૌતમસ્વામી બાલ્યા કે હા ઉત્પન્ન થાય. આનંદે કહ્યું કે મને આપની કૃપાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થએલું છે. તે અવધિજ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાએ સમુદ્રમાં પાંચસે જન પર્યન્ત દેખું છું. ઉત્તર દિશાએ હિમવંત પર્વત સુધી દેખું છું. ઉંચું સૌધર્મ દેવલોક પર્યન્ત અને નીચું પહેલી નરકમૃથ્વીના લોલુઆ નરકાવાસ સુધી દેખું છું. તે સાંભળી ગૌતમસ્વામી બોલ્યા કે ગૃહસ્થને આવું અવધિજ્ઞાન ઉપજે નહિ, માટે તમે મિચ્છામિદુક્કડં દે. આનંદે કહ્યું કે સત્ય કહેવાનું મિચ્છામિદુક્કડ દેવાય નહિ. ગૌતમસ્વામીએ કહ્યું કે આટલું અવધિ ગૃહસ્થપણે ન ઉપજે. તે વખતે આનંદે કહ્યું કે આપજ મિચ્છામિદુકકડ દે. શ્રીગૌતમસ્વામી શંકા ધરતા શ્રી મહાવીર પાસે ભાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy