SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કથામંજરી-૨ લીધા. વડાં, પૂરી સિવાયનાં બીજાં અનાજ ખાવાના પણ નિયમ લીધા. આકાશને પાણી સિવાયનાં બીજાં પાણી પીવાના પણ નિયમ લીધા. એલચી, લવિંગ, કસ્તુરી, કંકેલ, કપૂર, જાયફલ એ વસ્તુઓએ કરીને સહિત પાન સિવાયના પાન ખાવાના પણ નિયમ લીધા. પિતાના ઘરમાં નિયમ ગ્રહણ કર્યા પહેલાંની જે ઘરવખરી છે, તે ઉપરાંત ઘરવખરી રાખવાના નિયમ લીધા. પાંચમા તથા સાતમા વ્રત સંબંધી આ હકીકત જણાવી. તેવી જ રીતે બીજા વ્રતોના પણ યથાગ્ય નિયમ લઈ શ્રી મહાવીર પ્રભુને વંદન કરીને આનંદ શ્રાવક ઘેર આવ્યો. શિવાનંદ સ્ત્રીએ પણ મહાવીર પ્રભુ પાસે આવીને શ્રાવિકા ધર્મ અંગીકાર કર્યો. બંને જણાએ ચૌદ વર્ષ પર્યત આ નિયમે પાન્યા. આનંદ શ્રાવકને પ્રતિમા આરાધવાની ઈચ્છા થઈ તે વખતે સર્વ કુટુંબની અનુમતિ લઈ કોલ્લાગ ગામમાં પૌષધશાળા કરાવી. મોટા પુત્રને ઘરનો બધે ભાર સંપીને, સર્વ સાધમિકેને જમાડી, પૌષધશાલાએ જઈમહાતપ કરતો થકે અગિયારે પ્રતિમાઓની આરાધના કરી. આવી રીતે પ્રતિમાઓનું આરાધન કરતાં કરતાં આનંદનું શરીર અત્યંત દુર્બલ થઈ ગયું. એવી રીતે ધર્મ આરાધના કરતાં કરતાં અનશન નની ઈચ્છા થઈ, તે વખતે લેખના કરીને અનશન લીધું. અનશનમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એ અવસરે પ્રભુ શ્રી મહાવીર ઉદ્યાનમાં આવીને સમેસર્યા. - જૂઓ ચિત્ર ૧૫). તે વખતે ગૌતમસ્વામી છઠના પારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy