________________
આનંદ શ્રાવકની કથા
૯૭.
મણિયા ગામમાં જિતશત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ગામમાં આનંદ નામનો એક ગૃહસ્થ રહેતો હતું. તેને શિવાનંદા નામની સ્ત્રી હતી. તેના ઘરમાં બાર કરોડ સુવર્ણ તથા દશ હજાર ગાયેનું એક ગોકુલ, એવા ચાર ગોકુલ હતા. વળી તે ગામના ઈશાન ખૂણામાં આવેલા કેલા નામના ગામમાં આનંદના સગાંઓ રહેતા હતા.
એક વખતે ત્યાં ઘુતિ પલાશ નામના ઉદ્યાનમાં, શ્રી મહાવીસ્વામી પધાર્યા. સમવસરણમાં બેઠેલા પ્રભુ મહાવીરને વિંદના કરીને, જિતશત્રુ રાજા તથા આનંદાદિ ગૃહસ્થ પ્રભુની ધર્મદેશના સાંભળવા બેઠા.
પ્રભુનો ઉપદેશ સાંભળીને આનંદ શ્રાવકે શ્રાવકનાં બાર વ્રત ઉચર્યા. તેમાં પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતમાં ચાર કરેડ સુવર્ણ થાપણુ રાખવા માટે, ચાર કરોડ સુવર્ણ વ્યાજે આપવા માટે, ચાર કરોડ સુવર્ણ વ્યાપાર માટે, કુલ બાર કરોડ સુવર્ણ. ચાર ગોકુલ, ખેતર ખેડવા માટે પાંચસે હલ, દેશાવર મેકલવા માટે પાંચસે ગાડાં, ઘરનાં કામકાજ માટે પાંચસે ગાડાં. જલમાર્ગ પરદેશ જવા માટે ચાર વહાણ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org