SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સુમ ચક્રવર્તીની કથા ૮૫ અહાર નીકળ્યા, અને મેઘનાદ વિદ્યાધરને સાથે લઇ હસ્તિનાપુરમાં જ્યાં દાનશાલા છે ત્યાં આવ્યેા. સુભૂમની નજર પડતાં જ ક્ષત્રિઓની દાઢાના થાલ ખીર રૂપ થઈ ગયા, અને તે લઇ તે જમવા લાગ્યા. આ દૃશ્ય જોઈ પરશુરામની રક્ષા કરવાવાળા બ્રાહ્મણેા તેને મારવા દોડયા. મેઘનાદે તે બ્રાહ્મણોને મારી નાખ્યા. પરશુરામ પણ આ વાત સાંભળી ત્યાં આવ્યેા, અને સુભૂમને મારવા માટે પરશુ ઉપાડયો, તે પરશુ સુભૂમની નજરે પડતાં જ અંગારાની માફક ઠંડા થઈ ગયા. સુભ્રમે પરશુરામની ઊપર થાલ જ ઉપાડીને મૂકયો, તે થાલ મટીને ચક્રરત્ન થઈ ગયું. અને તે ચક્રરત્નથી પરશુરામનું મસ્તક છેદાઈ ગયું. પરશુરામે જેવી રીતે સાત વાર પૃથ્વી નક્ષત્રિય કરી હતી, તેમ સુભૂમે એકવીશ વાર બ્રાહ્મણ વિનાની પૃથ્વી કરી દીધી. ચક્રરત્નના બળથી છ ખંડ પૃથ્વી સાધી સુભૂમ ચક્રવર્તી થયેા. પછી લાભમાંને લાભમાં ધાતકી ખંડના ભરતક્ષેત્રને જીતવા માટે લવણ સમુદ્રમાં ચર્મરત્ન ઊપર સૈન્ય ચઢાવીને આગળ ચાલવા લાગ્યા. ત્યાં તેનું પૂણ્ય ખૂટી જવાથી દેવાએ તેને સહાય આપવી બંધ કરી, તેથી સમુદ્રમાં ડૂબીને મરણ પામીને, મહાન પાપેાદચે તે સાતમી નરકે ગર્ચા. · અતિ લાભ તે પાપનું મૂળ ' તે વાતની સાક્ષી આ કથા આપણને પૂરી પાડે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy