________________
૮૩
સુભૂમ ચકવર્તીની કથા સાથે સંસારસુખ ભોગવવા લાગ્યો. રેણુકાને તેના સંસર્ગથી એક પુત્ર થયા. પછી જમદગ્નિ તે પુત્ર સહિત રેણુકાને પિતાના આશ્રમે તેડી લાવ્યો. પિતાની માતાને પુત્ર સહિત જોઈને પરશુરામ ક્રોધે ભરાયે. પરશુરામે પોતાના પરશુથી માતા અને પુત્રના મસ્તકે છેદી નાખ્યાં.
આ વાત અનંતવીર્ય રાજાના સાંભળવામાં આવી, અને તે ક્રોધે ભરાઈને પિતાના સિન્ય સહિત જમદગ્નિના આશ્રમે આવ્યો. આશ્રમને બાળી નાખીને બધી વસ્તુઓ ફેંકી દીધી. તાપસને શેરબકોર સાંભળીને પરશુરામ ત્યાં આવ્યું, તેણે અનંતવીર્યને મારી નાખે.
પ્રધાન લોકેએ આ વાત સાંભળીને હસ્તિનાપુરની ગાદીએ કૃતવીર્યને બેસાડ્યો. તેણે એક દિવસે પિતાની માતાને મુખેથી બાપના મરણનું કારણ જાણ્યું, તેથી વેર લેવા માટે જમદગ્નિના આશ્રમે જઈને, ઋષિને મારી નાખે.
પરશુરામે આ વાત સાંભળી. તે હસ્તિનાપુર પહોંચ્યો અને કૃતવીર્યને મારી નાખી, તેની ગાદીએ પરશુરામ બેઠે. તે વખતે કૃતવીર્યની તારા નામની રાણે સગર્ભા હતી, તે પરશુરામના ભયથી નાશીને વનમાં જતી રહી. તેના ઉપર કઈ તાપસને દયા આવવાથી, તેણીને પિતાના આશ્રમના ભેંયરામાં સંતાડી. ત્યાં તેણીએ ચૌદ સ્વપ્ન સૂચિત એક પુત્રને જનમ આપે. તેનું નામ સુબૂમ પાડવામાં આવ્યું.
પરશુરામે ક્ષત્રિય ઊપર ક્રોધ કરી સાત વખત નક્ષત્રિ પૃથ્વી કરી દીધી. જ્યાં જ્યાં ક્ષત્રિય હોય ત્યાં ત્યાં પરશુરામનો પરશુ જાજ્વલ્યમાન થતો હતે. જ્યાં અગાડી ભોંયરામાં કૃતવીર્યની રાણું સંતાઈ રહેલી છે, ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org