________________
૮૨
કથામ જરી-૨
પેાતાના આશ્રમમાં લઇ આવ્યા. રેણુકાને અનુક્રમે યૌવનમાં પ્રવેશવાથી મહા સ્વરૂપવાન થએલી જોઈ, તેની સાથે અગ્નિની સાક્ષીએ ફ્રી પાણિગ્રહણ કર્યુ. ઋતુ સમયે જમદગ્નિએ કહ્યું કે હું એક ચરુ તને મંતરીને આપું કે જેથી તને ઘણા ઉત્તમ એક બ્રાહ્મણ પુત્ર થાય. તે વખતે રેણુકાએ કહ્યું કે એ ચરુ મંતરીને મને આપો કે જેથી એક બ્રાહ્મણપુત્ર થાય, અને ખીજે ક્ષત્રિયપુત્ર થાય. ક્ષત્રિયપુત્ર થવાના ચરુ મારી બહેન કે જે હસ્તિનાપુરમાં પરણાવી છે તેને મેાકલીશું. પછી ઋષિએ એ ચરુ મંતરીને રેણુકાને આપ્યા. તે વખતે રેણુકાએ વિચાર્યુ કે મારા પુત્ર ક્ષત્રિય-શૂરવીર–થાય તે હું આ જંગલમાં રહેવાના કષ્ટથી મુક્ત થાઉં. આવા વિચારથી ક્ષત્રિય ચરુ પેાતે ખાઈ ગઈ અને બ્રાહ્મણ ચરુ પેાતાની મેનને હસ્તિનાપુર મેાકલ્યા,
રેણુકાને રામ નામનો પુત્ર થયા, અને તેની એનને કૃતવીર્ય નામે પુત્ર થયેા. એક વખતે કોઈ વિદ્યાધર અતિસારના રાગથી પીડા પામતા એ આશ્રમે આવ્યેા. ત્યાં રામે તેની ઔષધાદિક સંબંધી સાર સંભાળ કરી, તેથી તે વિદ્યાધરે રામને પ્રેમથી પરશુ નામની વિદ્યા આપી. રામે તે વિદ્યાને સાધી લીધી, તેના ચેાગે જગતમાં તે પરશુરામના નામથી પ્રખ્યાત થયા.
એક વખતે જમદગ્નની આજ્ઞા લઇને રેણુકા પોતાની મેનને હસ્તિનાપુર મલવા ગઈ. રેણુકાને પેાતાની સાળી જાણી અનંતવીર્ય રાજા તેણીની મશ્કરી કરવા લાગ્યા. વળી રેણુકાનું સુંદર રૂપ જોઈને રાજા કામાતુર થઇ
નિરંકુશ પણે રેણુકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org