________________
૮૦
કથામંજરી-૨ એવામાં ચકલો મનુષ્યની ભાષામાં કહેવા લાગ્યું કે હું હિમવંત પર્વતે જઈ આવું, ત્યાં સુધી તે અહીંયાં રહેજે. તે વાત ચકલીએ ન માની અને કહેવા લાગી કે તું ત્યાં જઈને બીજી કઈ ચકલીમાં આસકત થઈ જાય, તો મારા શા હાલ થાય? તે વખતે ચકલો છે કે જે ફરી પાછે ન આવું તો મને હત્યા, સ્ત્રી હત્યાદિકનું પાપ લાગે. પરંતુ ચકલીએ માન્યું નહિ, અને કહેવા લાગી કે જો તું કઈ ચકલી સાથે પ્રેમ કરે તે આ ઋષિનું જેટલું પાપ છે, તે સર્વ પાપ તને લાગે, એવી રીતની પ્રતિજ્ઞા કરે તો તને જવા દઉં.
આ વાત સાંભળતાં જ જમદગ્નિ તાપસ કોધે ભરાઈને દાઢી મૂછમાં હાથ નાખી, તે બંનેને પકડીને પૂછવા લાગે કે “હું કઠણ તપસ્યા કરીને પાપને નાશ કરું છું, છતાં પણ તમે મને પાપી કહીને કેમ બોલાવે છે?” તે વખતે ચકલી બેલી કે “હે ઋષિ ! તમે ક્રોધ નકરશે, શાસ્ત્રમાં કહ્યું છે કે –
" अपुत्रस्य गति स्ति, स्वर्गो नैव च नैव च। तस्मात् पुत्रमुखं दृष्ट्वा, स्वर्ग गच्छंति मानवाः ॥१॥
અપુત્રીયાની સદ્ગતિ થતી નથી અને તે સ્વર્ગે તે જતો જ નથી. તેથી તમારી ગતિ જ નથી. કારણ કે તમે પણ અપુત્રીયા છે.”
આ વાત ઋષિએ પ્રમાણે કરી લીધી. પછી વિચાર્યું કે કેઈક સ્ત્રી સાથે લગ્ન કરીને પુત્ર ઉત્પન્ન કરું. પછી તપને ત્યાગ કરીને કેપ્ટિક નગરના રાજા જિતશત્રુને ઘણી પુત્રીઓ છે, એવું સાંભળી વિચારવા લાગ્યો કે ચાલ હું તેની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org