SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સુભૂમ ચક્રવત્તીની કથા ૭૯ કાંકરા બનાવ્યા, અને બીજી તરફના રસ્તામાં નાના નાના પુષ્કળ દેડકા બનાવ્યા. તે સાધુ દેડકાએ જે તરફ હતા તે તરફ નહિ જતા કાંટા અને કાંકરાવાળા રસ્તે થઈને ચાલ્યા. તેમને ચાલતા ચાલતા કાંટા અને કાંકરાના લીધે પગમાં લોહી નીકળવા લાગ્યું, તે પણ તે ક્ષોભ પામ્યા નહિ. - ત્રીજી વખત તે સાધુની આગળ દેએ ગીત તથા નાટકે શરુ કર્યા. વળી તેમને વ્રતમાંથી ચળાવવા માટે સુંદર અપ્સરાઓનાં રૂપ બતાવ્યાં, તો પણ તે સાધુ પિતાના વ્રતથી જરાએ ચલાયમાન ન થયા. ચોથી વખત દેવો તિષીનું રૂપ લઈને સાધુની પાસે આવીને કહેવા લાગ્યા કે “હે મહાત્મા ! અમે તિષશાસ્ત્રના બલથી કહીએ છીએ કે તમારું આયુષ્ય હજુ ઘણું લાંબું છે, માટે આ યુવાન વયમાં ભેગો ભેગવીને, વૃદ્ધ અવસ્થામાં ચારિત્ર લઈ તપસ્યા કરજો.” તે સાંભળી તે સાધુ કહેવા લાગ્યા કે હે સિદ્ધ પુરુષ! જે મારું આયુષ્ય લાંબું હશે, તો હું ઘણા સમય પયંત ચારિત્ર પાળીશ, અને તેથી ઘણા કર્મોની નિર્જરા થશે. વળી હમણાં યુવાન વયમાં તપસ્યા વગેરે થઈ શકશે, વૃદ્ધાવસ્થા આવ્યા પછી તપસ્યા વગેરે થઈ શકશે નહિ.” સાધુની આવી દઢતા જોઈ બંને દેવે હર્ષ પામી જિનધર્મની પ્રશંસા કરવા લાગ્યા. પછી તે બંને દેએ આગળ જતાં વનમાં ઘણા વખતથી તપ કરતા, મટી જટાવાળા, એકાંત ધ્યાનમાં રહેલા જમદગ્નિ નામના તાપસને જે. તેની પરીક્ષા કરવા માટે અને દેવ, ચકલા અને ચકલીનું રૂપ કરીને તે ઋષિની દાઢીના વાળમાં માળે કરીને રહેવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy