SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. સફળ થવાની મંગળ વાણી સાંભળી ઘણે જ આનંદ થશે અને પ્રેમ સહિત પારણાં કર્યા, તેથી સર્વેનાં દુઃખહંદ દૂર ગયાં. તે બતાવેલી અવધિ પ્રમાણે મહીનામાં એક દિવસ જ ઓછો છે, તેને લીધે બધાએ વાટ જોઈ રહ્યાં છે અને વિવિધ સંકલ્પવિકલ્પ કર્યા કરે છે. હું જિનદેવ શ્રાવકનો પુત્ર જિનદાસ વહાણ આવ્યાં સાંભળી ઉલ્લાસપૂર્વક અહીં આવ્યું અને નાટકનો નાદ સાંભળી જ્યારે જોવા આવ્યા ત્યારે આપ મનમેહન પ્રભુનું દર્શન થયું, હું મારી બુદ્ધિ વડે અનુમાન કરૂં છું કે શ્રી રાજેશ્વરી દેવીએ જ અમારી પાસે આપશ્રીને મોકલ્યા છે, અને જિનમંદિરનાં દ્વાર ઉઘાડતાં સર્વની આશા સફળ થશે. માટે હે પૂજ્ય ! આપ શ્રી આદિદેવ પ્રભુના મંદિરે પધારે અને યુગાદીશ પ્રભુને પ્રણામ કરે. હું વીશવસા પૂર્ણ રીતે માની શકું છું-જાણું છું કે બારણા તરફ આપની નજર પડતાં જ તુરત ઉઘડશે, અને તે સાથે પુણ્યદ્વાર પણ ખુલ્લાં જ થશે. ” વિનયવિજયજી કવિ કહે છે કે–આ મંગળમાળની આશા બંધાવનારી શ્રીપાળ રાસની બીજા ખંડની છઠ્ઠી ઢાળ આ પ્રમાણે કહી તે સાંભળતાં શ્રોતાજનોને ઘેર મંગળમાળ થજે. –૨૧ થી ૩૦ દેડા છંદ તવ હરખું કુંવર ભણે, ધવલશેઠને તેડી; જઈયે દેવ જુહારવા, આવો દુર્મતિ ફેડી. શેઠ કહે જિનવર નમે, નવરા તમે નિચિંત; વિણ ઉપરાજે જેહની, પહોંચે મનની ખાંત. અમને જમવાનું નહીં, ઘડી એક પલવાર; સીરામણ વાળુ જિમણુ, કરિયે એક જ વાર. તવ કુંવર જાવા તિહાં, જવ થાયે અસવાર; હરખ્યો હષારવ કરે, તેજિ તામ તુખાર. સાથે લઈ જિનદાસને, અવલ અવર પરિવાર; અનુક્રમે આવ્યા કુંવર, ઋષભદેવ દરબાર. એકેક આવો જઈ સહુ ગભારા પાસ; કુંવર પછી પધારશે, ઈમ બેલે જિનદાસ. જિમ નિર્ણય કરી જાણિર્યો, બાર ઉઘાડણહાર; ગભારે આવ્યાં જઈ, સહુકે કરે જુહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy