SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાનો રાસ. કે કામદેવ છે? તે મને સમજાવ.” દીકરીનું આવું બોલવું સાંભળી માએ મોટા ઘાંટા સાથે કહ્યું કે-“હાલી બેટી ! બીજા આળપંપાળરૂપ વિચાર ન બેલ, એ તે આપણું રાજાનો જે જમાઈ શ્રીપાળકુંવર છે તે નગર બહાર રમવા જાય છે.” તે સ્ત્રીનાં વચન સાંભળી શ્રીપાળકુંવરના ચિત્તમાં બાણુના ભેંકાયા સરખું તે બોલવું ખટકવા લાગ્યું અને વિચારવા લાગે કે–ધિકાર છે મને કે જે સસરા નામે કરીને મને જગતના લેકે ઓળખાવે છે. નીતિશાસ્ત્રમાં કહેલું છે કે-જે મનુષે પોતાના જ નામથી જગતમાં ઓળખાય તે મનુષ્ય સર્વથી ઉત્તમ પંક્તિના ગણાય છે, જે બાપના નામથી ઓળખાય (ફલાણાને છોકરો !) તે મનુષ્ય મધ્યમ પંક્તિનાં ગણાય છે, જે મામાના–મોસાળીઆને લીધે ઓળ ખાય (ફલાણાને ભાણેજ) તે મનુષ્ય અધમ પંક્તિનાં ગણાય છે, અને જે સસરાના નામથી ઓળખાય તે મનુષ્યો અધમમાં અધમ પંક્તિનાં ગણાય છે. તે હું અધમમાં અધમ પંક્તિનાં ગણાય છે. તો હું અધમમાં અધમ પંક્તિમાં ગણાતા મનુષ્યોની પેઠે સસરાના નામથી ઓળખાઉં છું, તેથી ધિકકારને જ પાત્ર છું. –૮ થી ૧૧ (ઢાળ પહેલી–રાગ જયશ્રી ચતુર સનેહી મોહન–એ દેશી ) ક્રીડા કરી ઘરે આવિયા, ચપળ ચિત્ત શ્રીપાલો રે; ઉલૂક મન દેખી કરી, બોલાવે પ્રજાપાલો રે. ક્રીડા. ૧ રાજ કોણે આજ રીસવ્યા, કોણે લોપી તુમ આણ રે; દીસે છો કાંઈ દુમણા, તુમ ચરણે અમ પ્રાણ રે. ક્રીડા૦ ૨ ચિત્ત ચાહે તો આપણું, લીજે ચંપા રાજ રે; ચડે પ્રયાણું ચાલિયે, સબલ સૈન્ય લેઈ સાજ રે. ક્રીડા ૩ અર્થ –ઉપર પ્રમાણે મન ઉદ્વિગ્ન થવાથી શ્રીપાળકુંવર ચપળ ચિત્ત સહિત વનશ્રીની લીલા નિહાળી કરી તુરત પાછો પોતાની હવેલીએ આવી પહોંચ્યો. કુંવરનું ચિત્ત ઉદાસ જઈ પ્રજાપાળ કહેવા લાગ્યો-“હે રાજન ! આજે આપને કોઈએ રીસ લાવવા જેવું કંઈ કારણ આપ્યું છે? અથવા તે કેઈએ આપની આજ્ઞા (હુકમ)ને ભંગ કરેલ છે! કે જેથી આપ દુઃખભરી લાગણીવાળા દેખાઓ છે; પરંતુ આપ એમ દિલગીર ન થાઓ; કેમકે આપના ચરણમાં અમારા પ્રાણ છે. જે હોય તે ખરેખરૂં ફરમાવો. કદાચિત આપ ચિત્તમાં ચાહતા હો કે આપનું ચંપાનગરીનું રાજ્ય પાછું સ્વાધીન કરીયે, તે સબળ સૈન્ય (લશ્કર) અને પૂરતા સાજ ( સાધનો) સહિત નગારે ડંકા દઈ પ્રયાણ –૧ થી ૩ કરીયે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy