SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલે. ૪૧ ધારણ કરનારી હતી, અને તે કોંકણ દેશ–ઠાણાના રાજાની ન્હાની બહેન થતી હતી; પણ પુત્ર વગરની લાંબી જીદગી ગુજરી ગયા છતાં પણ રાજ્યગાદી સંભાળનાર કુંવર થયે નહી, તેથી રાજાના મનમાં ઘણું ફિકર થઈ આવી, અને રાણી પણ એ જ બાબતની ફિકર કરતી હતી. આમ હોવાથી તેઓ રાજારાણું રાત ને દહાડો ઝર્યા કરતાં હતાં. પુત્રપ્રાપ્તિ માટે લેકરૂઢી અને આશાના કાયદા પ્રમાણે દેવદહેરાની માનતાઓ કરતાં-ઈચ્છતાં પૂછતાં કાકતાલીય ન્યાયની પેઠે રાણી સગર્ભા થઈ અને ગર્ભમર્યાદા પૂર્ણ થયેજેમ વિદ્યા વિવેકને જન્મ આપે, તેમ તે રાણુએ એક પુત્રને જન્મ આપે. આથી રૈયત રાજી થઈ અને તે સંબંધીની ખુશાલી જાહેર કરવા પ્રજાજનોએ ઘર ઘર હાટેહાટે તોરણ બાંધ્યાં, વધામણાં લઈને રાજદ્વારમાં ગયાં. રાજાએ પણ ઘડપણમાં દીકરે થવાના લીધે મનમાં ઘણેજ ઉલટ આવતાં કોડે ગમે દાન આપી અર્થિ–વાચક જનોને સંતોષ આપે. દુશ્મનને પણ વૈરની માફી આપી, અને કેદીઓને કેદથી છેડી મૂકી સંતોષ આપે. સુંદર સવાસણ સુંદરીઓ ધવળ મંગળ ગીતો ગાવા લાગી, ઢોલ નોબત વાગવા લાગ્યાં. નવા નવા નાટક થવા લાગ્યા અને અધિક મંડાણ સહિત મેટા મહોત્સવનો સમારંભ થયે. જ્ઞાતિ, સજજન વગેરે બધાંઓને નોતર્યા; ખટરસ ભેજનપાક તૈયાર કર્યા, પાર વગરનાં પકવાન્ન, લાપસી, સારાં દાળભાત તથા વ્રત-શાક એ બધાં બનાવ્યાં અને તેઓને જમાડ્યાં. તે પછી અમૂલ્ય વત્રો, દાગીનાઓની પહેરામણી કરી. પછી નાળિએર, હાર-ફૂલગોટા, પાનબીડાં વહેચ્યાં. કેસર કંકુનાં તિલક કર્યા અને ચંદન–ચૂઆ-ગુલાબજળ વગેરે છાંટી રંગોળ કરી સર્વને ખુશી ખુશી કર્યા. તે પછી કુંવરના પિતાએ કહ્યું કે“આ કુંવર અમે પુણ્યવડે પામ્યા છિયે તથા આ અમારી રાજ્યલક્ષ્મીનું પ્રતિપાલન કરશે માટે તેને લગતું નામ રાખ.” એથી સજજન અને ફઈયે મળીને “શ્રીપાળકુંવર’ એવું નામ રાખ્યું. આ સુંદર શ્રીપાળના રાસમાં નવમી ઢાળ કહી, કવિ વિનયવિજયજી કહે છે કે, આ રાસના સાંભળનારાઓને ત્યાં લીલા લહેર થજે. -૬ થી ૧૭ می દેહરા છંદ પાંચ વરસને જવ ઓ, તે કુંવર શ્રીપાલ; નામ શુલ રોગે કરી, પિતા પહોતો કાલ. શીર ફૂટે પીટે હિયો, રૂવે સકલ પરિવાર; સ્વામી તેં માયા તજી, કુણ કરશે અમ સાર. ગયા વિદેશે બાહૂડે, હાલાં કોઈક વાર; ઘણુ વાટે વોળાવિયા, તે ન મલે બીજી વાર. به ه Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy