SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાનો રાસ. એ વાત હૈયામાં કાયમ કરી દુઃખ ભાવને વિસારી દઈ તે દિવસે જિનમંદિરમાં આનંદ સહિત પ્રભુનાં દર્શન કરવા આવી. મંદિરની અંદર બેઠેલી મયણાસુંદરીને તેણુએ અણુસારેથી ઓળખી; પણ કેઢિઆ ધણી વગર બીજા યુવાન અને સુંદર રૂપવંત નરેને આગળ બેલે દિઠે. એ જોતાં જ ઉદાસીનતામાં લીન થઈ રૂપસુંદરી શાચવા લાગી કે-“એ મારી કૂખમાં આળોટેલ છતાં કુળને કલંક લગાડે એવી દીકરી કેમ નીવડી? હે કીરતાર ! તેં પણ એવી કૂળખાંપણ કુંવરીને મારા પેટે કેમ આપી? કે જેણીએ પંચની સામે વાવેલા કોઢિઆ વરને છોડી દઈ બીજે ધણું કર્યો માટે મારા અવતારને ધિકકાર છે! ધિકકાર છે !! અને આવી ઓલાદ પિદા થતાં મારી કૂખ ઉપર વજ પડી મારો જ નાશ કેમ ન થયો ? ઈત્યાદિ દુઃખભર્યા વિચારમાં ડૂબેલી રૂપસુંદરી જે વખતે બહુ જ રહેતી હતી, તે વખતે મયણાસુંદરીએ પિતાની માને દીઠી. એથી ચિત્યવંદનાદિ સુકૃત્ય પૂર્ણ થતાં ઉતાવળી ઉતાવળી માતુશ્રીની પાસે આવી મર્યાદાયુક્ત પગે લાગીને કહ્યું—હે માતુશ્રીજી ! આ હર્ષના સ્થાનમાં આપ દુઃખ શા સારૂ લાવો છે ? દુઃખ અને દુર્ભાગ્ય તો શ્રીજિન ધર્મ પ્રતાપવડે દૂર જતાં રહ્યાં છે આ પ્રભુમંદિરની અંદર નિરિસહી કહીને આપે અને અમોએ કરાર કર્યો છે. કે હવેથી મંદિર બહાર નીકળતાં લગી સંસારના સઘળા પાપ વ્યાપાર નિસિહી એટલે નિષેધ્યા–દૂર કર્યા છે, માટે બધી બનેલી વાત અહીયાં કહેવાથી એટલે કોઈ પણ સાંસારિક કથાના કહેવાથી ચોરાશી આશાતના પૈકી એક મોટી આશાતના લાગે, એ માટે જ્યાં હાલમાં અમે રહિયે છિયે ત્યાં દર્શન કરી આવ્યા બાદ અમારી સાથે પધારો અને બધી વાત સાંભળો કે જેથી આપના હૃદયમાં આનંદના જ ઉભરા આવશે.” આ પ્રમાણે પુત્રીનું બલવું થતાં શોક દૂર કરી રૂપસુંદરી જિનદર્શન સ્તવનમાં નિમગ્ન બની, અને તે પછી તેઓની સાથે સાથે સાધમ ભાઈના મકાનમાં જઈ પહોંચી. ત્યાં વર વહૂ અને બન્ને વહેવાણો એમ ચારે ચતુરસુજાણ જન આનંદયુક્ત બેઠાં. અહા ! જે દિવસે પોતાના વહાલા માણસને મેલાપ થાય તે દિવસ અને વ્હાણાને ધન્ય છે; કેમકે દુખ સુખની વાતો કરવાનો વખત મળવાથી હૃદયને બહુજ શાંતિ મળે છે ને સંતાપ ટળે છે. (આ કવિ કથન છે.) પછી રૂપસુંદરીએ પુત્રી મયણાસુંદરીના મહોએથી બધી વાત સાંભળી અને આશ્ચર્યકારી બનાવ બનેલે જાણતાં જ તેણીના આત્માને બહુ જ પ્રસન્નતા પ્રાપ્ત થઈ તે એટલા સુધી કે હૈયામાં હર્ષના આંસુ આવ્યા. આવા બનાવથી કયા સમજુ જનને હર્ષ પિદા ન થાય ? –૧ થી ૧૩ ઢાળ નવમી –અધમંડિત ગોરી નાગિલા રે –એ દેશી. વર વહુ બે સાસુ મલી રે, કરે વાહણ વાત રે; કમળા રૂપાને કહે રે, ધન તુમ કુલ વિખ્યાત રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy