SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલો. ૩૧ * વાળા કમળરૂપ યંત્રમાં પૂર્વ દિશાથી માંડી ચાર દિશામાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ચાર પદે છે. તથા વચમાં અરિહંત અને ચારે વિદિશિઓમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ પદે છે. આવી રીતિના આ તમામ યંત્રોના મુકુટ સરખા સિદ્ધચકયંત્રનું જે નિર્મળ શરીર અને મનથી સેવન કરે તેનાં તમામ ધારણામાં ધારેલાં કામ ફતેહ કરે છે. આ યંત્ર આરાધવા માટેનો વિધિ આ પ્રમાણે છે કે-“આ શુદી સાતમથી આ નવપદની ઓળીને તપ આરંભી પૂનમ સુધી નવ દિવસ લગે નિર્મળ નવ આયંબિલ કરી ગુણના ઘર રૂપ નવપદનું આરાધન કરવું. શાસ્ત્રમાં જેમ કહેલ છે તેમ પવિત્ર ધેતિયાં વગેરે ધારણ કરી સવાર, બપોર અને સાંજ એમ ત્રણે કાળ વખતે જિનેશ્વરનું વિધિ સહિત કાર્યને મર્મ સમજી પૂજન કરવું. વિધિ સહિત દીવે, ધૂપ, પાણી, ચંદન, ફૂલ, ફળ, અક્ષત-ચોખા, નિવેદ્ય એ આઠ જાતની ચીજોથી ઉત્સાહ સહિત પૂજા કરવી. એ નવ દિવસ લગી જમીન ઉપર (નિર્જીવ જમીનપર) પથારી કરીને સૂવું તથા પવિત્રાઈ સહિત યશવંત બ્રહ્મચર્ય પાળવું. એક એક પદની વીશ નકારવાળી ફેરવવી. દરેક કાળે આઠે થઈથી દેવવંદન કરવું; બન્ને ટંકનાં પ્રતિક્રમણ કરવાં, ઉત્તમ પ્રકારે ગુરૂને વૈયાવચ્ચે સાચવે. કાયાને વશ-કબજે કરીને રાખવી, વિચારીને વચન બેલવું, ડામાડોળ રહિત મન રાખવું, આર્તા, રૌદ્રધ્યાન છેડી ફક્ત ધર્મ ધ્યાન જ ધરવું, દહીં, દૂધ, ઘી, સાકર અને પાણી એ પાંચે અમૃત એકઠાં કરી તે પંચામૃતવડે બહુ ઉત્તમ વિધિથી પ્રભુજીની પ્રતિમાને અથવા સિદ્ધચકજીના-પંચધાતુના યંત્રપટને પખાળ કરે, અને નવમે દિવસ સિદ્ધચકની વિશાળતાપૂર્વક ભકિત કરવી. એ રીતે જ ચૈત્ર સુદી સાતમથી ચૈત્રી પૂનમ સુધી પણ વિધિ કરો. આ ઓળીના તપનું નવ આંબિલ સહિત આરાધન કરવું. એમ નવે નવે એકાશી આંબિલનો કપટ રહિત તપ કર. એટલે સાડાચાર વર્ષે નવ એળીઓ પૂર્ણ થતાં, આ તપ પૂર્ણ થયા પછી પોતાના ગજા પ્રમાણે ઉજમણું પણ કરવું. એથી આ ભવ અને પરભવ પુષ્કળ સુખ અનુભવી અંતે ક્ષસિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ તપારાધન વડે આ ભવની અંદર કોઈ આણ ખંડન ન કરી શકે એવી અખંડ આજ્ઞા પ્રાપ્ત થાય છે. તેમ જ રેગ, દુર્ભાગ્ય, દુઃખ એઓને, જેમ જબરા પવનની ઝપટથી વર્ષવિખરાઈ જાય છે, તેમ નાશ થાય છે. આ સિદ્ધચક્રજીના ન્હવણ જળનો શરીરે સ્પર્શ કરવાથી અઢારે જાતના કોઢ, ચોરાશી વાત, ગડ, મુંબડાં તથા ઘા એ બધાં મટી જાય છે. બિહામણુ ભગંદર જળોદર, તરેહ તરેહના મહા વ્યાધિઓની વેદના અને તાવની પીડા એ બધાં દૂર થાય છે. તેમજ ઉધરસ, ક્ષય, ખસ, આંખના રોગ, સન્નિપાત, હક, ગુદામાંના મસા, હેડકી, નારાં, નાસુર, પાઠાં, પેટપીડા, અને દાંતનાં દર્દ, એ બધાં રેગે નાશ થઈ જાય છે. અને ચેર, ભૂત, ડાકિણીઓને ભય પણ કશું નુકશાન કરી શકે નહીં. તથા નિર્ધનીઓને ધન અને વાંઝિયાંઓને પુત્ર પ્રાપ્ત થાય છે. આ સિવાય ગુણ ઘણું છે, પણ તે અપાર હોવાથી કેવળજ્ઞાની વિના આ સિદ્ધચક યંત્રના ગુણ બીજા કોઈ કહી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy