SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિઓ. તપ ગુણ સૂરા આગમ પૂરા, નય નિક્ષેપે તારીજી, મુનિ ગુણધારી બુધ વિસ્તારી, પાઠક પૂજે અવિકારી. સુમતિ ગુપતિ કર સંજમ પાલે, દોષ બયાલીસ ટાલેજ, ષટ્ટાયા ગેકુલ રખવાલે, નવવિધ બ્રહ્યાવ્રત પાલેજી, પંચ મહાવ્રત સુધા પાસે, ધર્મ શુકલ ઉજવાલેજી, ક્ષપકશ્રેણિ કરી કર્મ ખપાવે, મુનિપદ ગુણ ઉપજાવેજી. જિનપન્નત તત્ત સુધા સરધે, સમતિ ગુણ અજવાલેજ, ભેદ છેદ કરી આતમ નિરખી, પશુ ટાલી સુર પાવેજી; પ્રત્યાખ્યાને સમ તુલ્ય ભાખે, ગણધર અરિહંત શૂરાજી, એ દરશન પદ નિત નિત વંદો, ભવસાગરકો તીરાજી. મતિ શ્રત ઈદ્રી જનિત કહીએ, લહીએ ગુણ ગભરેજી, આતમધારી ગણધર વિચારી, દ્વાદશ અંગે વિસ્તારેજી; અવધિ મનપર્યવ કેવલ વલી, પ્રત્યક્ષ રૂપ અવધારેજી, એ પંચ જ્ઞાનકું વંદો પૂજે, ભવિજનને સુખકાર જી. કર્મ અપચય દૂર ખપાવે, આતમ ધ્યાન લગાવોજી, બારે ભાવના સૂધી ભાવે, સાગર પાર ઉતારેજી; પખંડ રાજકું ક્રૂર તજીને, ચકી સંજમ ધારેજી, એહ ચારિત્રપદ નિત વંદો, આતમ ગુણ હિતકારેજી. ઈચ્છાધન તપ તે ભાગે, આગમ તેહને સાખી, દ્રવ્યભાવસૅ દ્વાદશ દાખી, જેગ સમાધિ રાખીજી; ચેતન નિજગુણ પરણિત પેખી, તેહી જ તપ ગુણ દાખીજી, લધિ સકલને કારણે દેખી, ઈશ્વર સમુખ ભાષીજી. ઉપર પ્રમાણે વિધિ પૂર્ણ કરીને આશાતનાને મિચ્છામિ દુકકડ દેવો. આ પૂજા વગેરે વિધિ મધ્યાન્હ અગાઉ કરીને પછી આંબિલ કરવું. ગુણણું, કાઉસગ્ગ, ખમાસમણાદિમાંથી સવારે બાકી રહ્યું હોય તે બપોરે કરવું. ઉપર જણાવ્યા પ્રમાણે દરરોજ નવપદની પૂજામાંથી એકેક પૂજા ભણાવવી અને નવમે દિવસે નવપદજીની પૂજા ભણાવવી. પારણાને દિવસે તે અથવા સત્તરભેદી પૂજા ભણાવવી. ફળ નૈવેદ્ય વિશે ધરવું; પરમાત્માની આંગી પૂજ સવિશેષે કરવી અને એક બાજોઠ ઉપર નવપદનું મંડળ, પાંચ વર્ણન ચેખા રંગને પૂરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy