SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૯ શ્રીપાદ–આત્મપ્રદેશની સાથે દુષ્ટ કર્મો અનાદિ કાળથી લાગેલાં છે, તે કર્મ પુદ્ગલેને તપાવી આત્મપ્રદેશથી છૂટા પાડવાનું કાર્ય તપ કરે છે, તેને નિર્જરા તત્વ પણ કહે છે. તે પ્રત્યેકના છ છ પેટાદ છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને રાંધીનતા, એ જ પ્રકારે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ પ્રકારનું અત્યંતર તપ છે. જે તપ કરવાથી દુર્ગાન ન થાય, મન વચન અને કાયયેગની હાનિ ન થાય; તથા ઇંદ્રિઓની શકિત ક્ષીણ ન થાય; એવી રીતે તપ કરવાનો છે. તેમ જ આ લેકનાં સુખ સંપત્તિ અને કીર્તાિની ઈચ્છા વિના, નવ, પ્રકારના નિયાણ વિના અને સમભાવપૂર્વક તપ કરવાથી જ તેની આરાધના થાય છે, અને તે રીતે આત્માને લાભ થાય છે. નવમે ભવે સિદ્ધિપદ–આ પદેનું મહાભ્ય એવા પ્રકારનું છે કે–તેનું યથાર્થ વિધિપૂર્વક આરાધન કરનાર ઉત્કૃષ્ટ નમે ભવે અવશ્ય સિદ્ધિપદને પામે છે, વચ્ચે દેવ અને મનુષ્યના ઉત્તમ સામગ્રીએ યુકત ભ પામે છે, અને જગતમાં ઉત્તમ પ્રકારના યશ અને કીર્તિ પામે છે. એ નવપદમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે તને સમાવેશ થએલો છે. અરિહંત અને સિદ્ધ એ દેવતત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, ગુરુ તરીકે છે. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપથી ધર્મતત્ત્વનું ગ્રહણ થાય છે. એ ત્રણ તની પરીક્ષા પૂર્વક જે સહણ જાગે છે, તે જ જૈનધર્મ રૂપી વિશાળ વૃક્ષનું મૂળ ગણાય છે. શ્રી નવપદજી અને તેના વર્ષો ૧. શનિદંત પદ કહેત વર્ણ છે. ત. ૨. સિદ્ધ પદને લાલ વર્ણ છે. લાલ. ૩. શાસ્ત્રાર્થ પદનો પીત વર્ણ છે. પીત. ૪. ૩vaણ પદને લીલે વર્ણ છે. નીલ. ૫. વધુ પદને કાળો વર્ણ છે તથા ૬. ન પદને ૭. જ્ઞાન પદને ૮. રાત્રિ પદને અને ૯. તા પદનો વર્ણ શેત છે. પરિચય-નવપદના વર્ણની કલ્પના ધ્યાતા–સાધકની અપેક્ષાએ કરવામાં આવેલી છે; વાસ્તવિક રીતે તે પદે વર્ણ, ગંધ અને સ્પર્શરહિત છે. પૂર્વાચાર્યોની આ પ્રાચીન કપના આધુનિક અમેરિકન માનસશાસ્ત્રીઓ સાથે સંપૂર્ણ મળતી આવે છે. તેઓએ મનના વિચારો આકાર અને વણે અમુક પ્રકારનાં હોય છે, તેમ Mental eye--rays માનસ વિદ્યુત કિરણ યંત્ર વડે તપાસ્યું છે. હવે ધ્યાનની શરૂઆત કરનાર મનુષ્યને આંખ મીંચી અંતર્મુખ થતાં હૃદયમાં અદળ કમળનું ચિંતવન કરતાં પ્રથમ શ્યામ વર્ણ ભાસે છે; પછીથી ધીમે ધીમે નીલ, પતિ અને શ્વેત ભાસે છે. છેવટે તેજના ગોળા જેવો લાલવર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy