SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચો. અમૃત પીવાથી ભૂખ તરશ-રોગ-શોક-ઉપદ્રવ વ્યાધિ વગેરે તમામ નાશ પામે, એટલું જ નહીં પણ તે ફરીને ઉદય થવા જ ન પામે, તેની બરાબર ત્રીજું અનુભવજ્ઞાન મીઠું છે. માટે જ અનુભવજ્ઞાન વગર અનાદિ સમયની ભવભ્રમણ રૂપ તરસ શી રીતે છીપી શકે ? એ માટે અનુભવનો પ્રેમ છે તે મહાન છે; જેમ સાંસારિક પ્રેમની અયતા કરવા લેવું, દેવું, ખાવું, ખવરાવવું આદિ નિયમો ઉપગમાં લેવા પડે છે તેમ અનુભવતલ્લીન થવા માટે તેના નિયમો શીખ, સાધે. શેલડીના સાંઠાના દ્રષ્ટાંત કરીને–જેમ શેલડીના સાંઠાની અંદર જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી અને જ્યાં રસ છે ત્યાં ગાંઠ નથી, તેમ અનુભવ પ્રેમ જાણે. એટલે જ્યાં કર્મરૂપ ગાંઠ છે ત્યાં અનુભવ રસ નથી અને જ્યાં અનુભવરસ છે ત્યાં કમરૂપ ગાંઠ નથી. કેટલાક કહે છે કે જેણે અનુભવરસ પ્રાપ્ત કર્યો તેણે છુપાવી રાખ્યો જેથી પ્રકટ થવા પામ્યું નથી, એ કહેવત પણ ચીઠ્ઠીપત્રી જેવી છે; કેમકે મેરૂ પર્વત જેવો મહાન અનુભવ રૂપ મેર છે, તે છુપાવ્યો શી રીતે છુપી શકે ! તે તે સર્વના જોવામાં આવેલ છે એમ જિનવચનથી સિદ્ધ થાય છે. વસ્તુતઃ દીઠામાં આવે છે; પરંતુ જેણે પામે છે તેને જ આત્મા જાણે બીજે કઈ ન જાણે. શાહી, કાગળ ને લેખણ એ ત્રણે ચીજોના સાધન વડે આગળ લખાઈ કપાઈ ગએલી વાતોને પુનઃ લખે એ તે બધા લેખકો કરી શકે તેમ છે, પણ પૂર્વે જે કેઈએ ન લખ્યાં એવાં અપૂર્વ ભાવ કહે તે પંડિત જાણવા, બાકી જે બહુ લખે કે બહુ ભાષણ કરે તે લબાડી જાણવા જે કે શરીરની અંદર જેમ સઘળાં અંગઉપાંગ સુંદર હોય છતાં નાક ઉપર ચાઠું હોય તો તે બધી સુંદરતાને બગાડી દે છે, તેમ બહએ ગ્રંથે ભણ્યા જાણ્યા હોય છતાં તેનો અનુભવ ન મેળવ્યો હોય તો તે કંઠશોષ-ઘાંટા તાણવા કે ઘાંટા બેસાડવારૂપ માથાકૂટ ગણાય છે. પિોપટ અજ્ઞાની છતાં મનુષ્યની સોબતથી રામ વગેરે બોલતાં શીખે, તથાપિ તેને ઓળખતા નથી, જેથી તેનું નામરમરણ કંઠશેષ સરખું જ થઈ પડે છે, તેની પેઠે જેને અનુભવજ્ઞાન ન હોય તે તે શ્રુતજ્ઞાને કરી મનના સંશયો દૂર કરી શકે નહિ, તે માટે જ અનુભવજ્ઞાન એ જ મહાન જ્ઞાન છે. –૧ થી ૮ જિમ બહુશ્રુતને બહુજન સંમત, બહુલ શિષ્યનો શેઠો; તિમ તિમ જિન શાસનને વયરી, જે નવિ અનુભવ નેઠો રે. મુળ ૯ માહરે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાં પેઠો; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમ રતિ હુઈ બેઠો રે, મુ. ૧૦ ઉગ્યો સમકિત રવિ ઝલહલતો, ભરમતિમિર સવિ નાઠો; તગતગતા દુર્નય જે તારા, તેહને બલ પણ ઘાઠો રે. મુળ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy