SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ શ્રીપાળ રાજાને રાસ. સમ્યગ્રદર્શન અને એ જ આત્મા છે, “સમકિતી” નામ ખાલી ધારણ કરવાથી શું સફળતા છે? -૧ થી ૭ જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો એ એહિ જ આતમાં, જ્ઞાન અબોધતા જાય રે. વી. ૮ જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મહવને નવિ ભમતો રે. વી. ૯ ઈચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે, તપ તે એહિ જ આતમા, વરતે નિજ ગુણ ભેગે રે. વી. ૧૦ આગમ નોઆગમ તણ, ભાવ તે જાણો સાચો રે; આતમ ભાવે થિર હેજે, પર ભાવે મત રાચે રે. વી. ૧૧ અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તિમ નવપદ ઋદ્ધિ જાણજે, આતમરામ છે સાખી રે. વી. ૧૨ યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે રે. વી. ૧૩ ઢાલ બારમી એહવી, ચોથે ખંડે પૂરી રે; વાણી વાચક જસ તણી, કેઈ નયે ન અધૂરી રે. વી. ૧૪ અર્થ-જ્ઞાનાવરણીયરૂપ જે કર્મ છે તેને પશમ અથવા ક્ષય થાય ત્યારે આત્મા જ્ઞાનરૂપ થાય છે અને જ્ઞાનથી અજ્ઞાનપણું દૂર થાય છે. પોતાના સ્વભાવમાં રમણ કરતા, શુદ્ધ લેફ્સાથી સુશોભિત, મેહરૂપ જંગલમાં નહિ ભટકતા, આત્માને જ ચારિત્ર જાણે. ઈચ્છાઓના નિરોધરૂપ સંવર કરી મન, વચન, કાયાના રોગોની એકાગ્રતાથી સમતામાં પરિણમન કરી, સ્વગુણોના અનુભવમાં આ આત્મા રમણ કરે તે જ તપ છે. આગમ અને નોઆગમોના રહસ્યને સત્ય રીતે સમજે; આત્માના સ્વરૂપમાં સ્થિર રહે અને પૌગલિક ભાવમાં ગુલતાન ન થાઓ. આત્મામાં સમસ્ત આઠ સિદ્ધિઓની સંપત્તિ રહેલી છે, તે પ્રમાણે નવપદની સંપત્તિ પણ છે, તેને સાક્ષી આત્મા (સ્વયમેવ) છે. (મુક્તિના) અસંખ્ય ગે જિનેશ્વરે કહેલા છે, તેમાં નવપદ મુખ્ય છે તેમ સમજે, તેના આલંબનથી આત્માનું ધ્યાન પૂર્ણ થાય છે તે જાણે, આ શ્રીપાળ રાસના ચોથા ખંડની આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy