SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચો. ૨૬૫ ઢાળ બારમી–સ્વામી સીમંધર ઉપદિશે—એ દેશી. અરિહંત પદ ધ્યાતો થકે, દવ્ય ગુણ પાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમધ્યાને આતમાં, ઋદ્ધિ મલે સવિ આઈ રે. વી. ૨ રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતાં નિજ આતમાં, હૈયે સિદ્ધગુણ ખાણી રે. વી. ૩ ધ્યાતાં આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોયે પ્રાણી રે. વી. ૪ તપ સક્ઝાયે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે. વી. ૬ સમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહિ જ આતમા, શું હોય નામ ધરાવે રે. વી. ૭ અર્થ દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતાં આત્મા ભેદનો છેદ કરી અરિહંતરૂપ થાય છે. હવે વીર પરમાત્મા ઉપદેશ કરે છે તે તમે સાવધાનતાથી સાંભળજે. આત્માના ધ્યાનથી આત્માની (ભૂલાયેલી) સર્વ સંપત્તિ (તેને પિતાને) આવી મળે છે. જેઓ રૂપાતીત સ્વભાવવાળા અને કેવળદર્શન જ્ઞાનવાળા સિદ્ધોનું ધ્યાન કરે છે, તેઓનો આત્મા ગુણની ખાણુરૂપ સિદ્ધ બની જાય છે. મહામંત્ર અને શુભ ધ્યાન વડે સુંદર આચાર્ય પદનું ધ્યાન કરનાર મનુષ્યનો આત્મા પાંચ પ્રસ્થાન પ્રાપ્ત કરી આચાર્ય બની જાય છે. તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત છે, બાર અંગનું ધ્યાન કરે છે, વિશ્વના બંધુ છે. અને જગત્ સાથે બંધુ ભાવથી વર્તે છે તે આત્મા ઉપાધ્યાય ભગવાન કહેવાય છે. જે હમેશાં અપ્રમાદી રહે છે, હર્ષ અથવા શેકમાં લીન થતો નથી તે આત્મા સાચો સાધુ છે. મુંડાવવાથી અથવા લોચ કરવાથી શું ? (વાસ્તવિક સાધુપણું પ્રાપ્ત થાય છે ?) (પ્રકૃતિઓના) ક્ષય અથવા ઉપશમથી સમતા સંવેગાદિ ગુણે જે પ્રકટે છે તે જ ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy