SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ શ્રીપાળ રાજાને રાસ. કોણિક ઉદ્દેશી કહે, નવપદ મહિમા વીર; નવપદ સેવી બહુ ભવિક, પામ્યા ભવજલ તીર. આરાધનનું મૂલ જસ, આતમ ભાવ છે; તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ. ધ્યેય સમાપત્તિ ધ્યે, ધ્યાતા ધ્યેય પ્રમાણ; તિણે નવપદ છે આતમા, જાણે કાઇ સુજાણુ. લહી અસંગ ક્રિયા બલે, જસ ધ્યાને જણે સિદ્ધિ; તેણે તેહવું પદ અનુભવ્યું, ઘટમાંહિ સકલ સમૃદ્ધિ. Jain Education International ૧૧ For Private & Personal Use Only ૧૨ ૧૪ અઃ- —આ પ્રમાણે ગૌતમસ્વામીના વચને સાંભળી આનંદ પૂર્ણ ચિત્તથી શ્રેણિક રાજા ગૌતમ ગુરુશ્રીને વાંદી પોતાના પાટનગર તરફ વિદાય થવા લાગ્યા, તેવામાં વનપાલકે આવી વધામણી આપી કે ‘ જગજીવાહારક શ્રીવીર પ્રભુજી ઉદ્યાનમાં આવી સમેાસર્યા છે. ત્યાં દેવતાઆએ સમેવરસણ રચ્યું, પાંચ વરણ સુગંધી ફુલેની વૃષ્ટિ કરી, આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગી, શ્રેષ્ઠ અશોકવૃક્ષ શેાલી રહ્યું છે, ત્યાં સિંહાસન સ્થાપેલ છે ચામર ઢળી રહ્યા છે, ત્રણ છત્ર મસ્તકે બિરાજે છે, તથા ભામ`ડળ સહિત એવા શ્રીવીર પ્રભુ સિંહાસન ઉપર બિરાજી વ્યિકૃતિ સાથે દેશના દઈ રહ્યા છે. ’ આ પ્રમાણે વધામણી આવી કે તે જ સમયે શ્રેણિક રાજા શ્રીવીર પ્રભુને વાંઢવા ચાલ્યા અને પંચાભિગમ સાચવી વિધિસહ પ્રભુને વદન કરી બાર પદાની અંદર જ્યાં પેાતાને બેસવુ ચેાગ્ય હતું ત્યાં બેસી દેશના સાંભળવા લાગ્યા. વીર ભગવાન પણ શ્રેણિકને ઉદ્દેશીને નવપદજીના મહિમા વર્ણવે છે કે એ નવપદ સેત્યાથી ઘણા ભન્ય જીવા ભવસમુદ્રના પાર પામ્યા છે. જો કે નવપદજીનું મૂળ આરાધન તા નિશ્ચયથી આત્મભાવ જ છે, તે પણ તેનું ખરૂ તત્ત્વ વિરલા જ મેળવી શકે છે; કેમકે નવપદ તે જ આત્મા છે અને નવપદમાં પણ એ જ આત્મા છે. જે વસ્તુ ધ્યાવવા લાયક છે તે ધ્યેય કહેવાય છે, તે ધ્યેયની સ પ્રકારે સ`પૂર્ણતા પામવે કરીને ધ્યાતા જે ધ્યાનાશ આત્મા તેનું ધ્યેય, વસ્તુનુ. જે ધ્યાન તેનું પ્રમાણપણું થાય. કેમકે ધ્યેયની વૃત્તિ વગર ધ્યાનની વૃત્તિ થતી નથી અને ધ્યાતાના ધ્યાનનું પ્રમાણ ધ્યેય સમાપ્તિ વડે જ થાય છે. એ માટે નવપદ તે જ આત્મા છે એ કાઈ જ્ઞાની જ જાણે છે. શુકલ ધ્યાનના ચાથા પાયાના ધ્યાન વડે અસંગ ક્રિયા પ્રાપ્ત કરી તે ક્રિયાના મળથી નવપદમાંના જે પદની આરાધનાને લીધે જે જીવાએ સિદ્ધિ પ્રાપ્ત કરી તે પ્રાણીએ તેવું જ પદ અનુભવ્યું—ભોગવ્યું, માટે નિશ્ચયનયથી ઘટમાં જ સકળ સમૃદ્ધિ છે ૧૩ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy