SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાનો રાસ. રાય કહે કન્યા તણે રે, કર્મે એ બલ કીધ; ઘણું કહ્યું મેં એને રે, દોષ ન કો મેં લીધ. ચ૦ ક. ૧૫ રોગી રલીઆયત થયા રે, દેખી કન્યા પાસ; પરમેસર પુરણ કરી રે, આજ અમારી આશ. ચ૦ ક. ૧૬ સુગુણ રાસ શ્રીપાલનેરે, તેહની પાંચમી ઢાલ, વિનય કહે શ્રોતા ઘરે રે, હજો મંગલમાલ. ચ૦ ક. ૧૭ અર્થ –જ્યારે મયણાસુંદરીએ ઉપર પ્રમાણે કર્યું ત્યારે ઉંબર રાણાએ રાજાને કહ્યું કે–“હે રાજન્ ! આ પ્રમાણે સંબંધ જોડે એ ગેરવાજબી છે. કેમકે કાગડાને કંઠે મેતીમાળા ધારણ કરવા સરખું આ અયુક્ત કામ થાય છે.” રાજાએ કહ્યું: “તમે કહો છો તે હું સમજું છું, આ કન્યાના કર્મો જ આ બળ કર્યું છે. મેં તો એને મારા ઉપર અપવાદ આવે એ માટે ઘણુંએ કહ્યું. કેમકે એણીએ સર્વ સુખ દુઃખને આધાર કર્મરાજાના જ હાથમાં સોંપેલે છે.” આ પ્રમાણે વાત બનતાં જે કે પરણનારને રાજી થવું જોઈએ તેને બદલે તે ઉદાસ થયે, પરંતુ તેના પરિવારરૂપ સાતસો રોગી તો કન્યાને પિતાના રાણા પાસે ઊભેલી જોઈ અનહદ ખુશી થઈ ગયા અને બોલ્યા કે-“આજે અમારી આશા પરમેશ્વરે સર્વ રીતે પૂર્ણ કરી !” આ શ્રીપાળના સગુણવંત રાસની પાંચમી ઢાળ પૂરી થઈ વિનયવિજયજી કહે છે કે-આ રાસ સાંભળનારાઓને ઘેર મંગળમાળા થજે. –૧૪-૧૭ દોહરા છંદ કોઈ કહે ધિક રાયને, એવડ રોષ અસાધ: કેઈ કહે કન્યા તણે, એ સાલો અપરાધ. ઊતારે આવ્યા સહ, સુણતાં ઈમ જન વાત; અનુચિત દેખી આથમ્યો, રવિ પ્રગટી તવ રાત યથાશક્તિ ઉત્સવ કરી, પરણાવી તે નાર; મયણુ ને ઉંબર મળી, બેઠાં ભુવન મઝાર. અર્થ –ઉપર પ્રમાણે ગેરવાજબી બનાવ બનેલો જોઈ જોનારાઓમાંથી કેટલાએક કહેતાં હતાં કે–“રાજાને ધિક્કાર છે ! કે પિતાના બચ્ચા ઉપર આટલે બધે હદપાર ગુસ્સો અજમાવે છે ! !” અને કેટલાએક કહેતાં હતાં કે-“આ બધો વાંક-ગુન્હ એ કન્યાને જ છે! બાપને નથી!” આ પ્રમાણે લોકોના મની વાત સાંભળતાં એ દંપતીએ પિતાને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy