SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. ૨૪૩ ઠાર માર્યો અને તે મરીને તપઅનુમોદનાના પ્રતાપથી ક્ષત્રિયવંશમાં પેદા થયા; પણ મુનિને ઉપસર્ગ કરવાથી તે બધા કોઢિયા થયા. નવપદજીના તપ વડે પુણ્યસંચય થવાથી શ્રીકાંત રાજા આયુ પૂર્ણ થયે તું શ્રીપાળ રાજા થયે. અને શ્રીમતી રાણી તે તારી પત્ની મયણાસુંદરી થઈ. તેમજ કોઢિયાપણું મુનિને કેઢિયે કહેવાની આશાતનાથી, તથા મુનિને પાણીમાં ઝબોળવાથી દરિયામાં ડૂબવું, તથા મુનિને હાર કહાડવાથી પાછું દરિએ તરી પાર થવું થયું, અને મુનિ શહેરને વટલાવે છે, એ ટૂંબ જેવો છે વગેરે વચનો કહ્યાં તે આશાતનાને લીધે હૂંબનું કલંક તમને પ્રાપ્ત થયું અને મુનિની તે અપરાધ સંબંધી ક્ષમા માગી તેથી તે કલંક નાશ પામ્યું. તેમ જ શ્રીમતીના કહેવાથી પૂર્વજન્મમાં શ્રીનવપદજીનું આરાધન કર્યું તથા તે જ અભ્યાસના લીધે આ ભવે પણ તેણીના કથનથી જ પુનઃ તે તપ આરાધે, તેથી તેને સર્વત્ર સ્થળે સર્વ પ્રકારની વિશેષતા પૂર્વક ત્રાદ્ધિ પ્રાપ્ત થઈ. આઠ સખીઓએ તથા સાતસે ઉદ્ઘ એ રાણી રાજાના તપની અનુમોદના કરી તેથી તે પ્રભાવ વડે તારી યુવરાણીઓનું પદ પામી. આઠમી સખીએ પિતાની શક્યને સાપ ખાએ એવું શાપવચન કહ્યું તે પાપથી તેણી આઠમી સખીના જીવ તિલકસુંદરીને સાપને દેસ થયે. તારા ધર્મની પ્રશંસા કરવાથી સાત પુરુષે કેઢિયાપણું દૂર કરી રાણાપદ પામ્યા; તારા તોફાનીઓને મારનાર સિંહ સાતસેને તરવારને તાબે કર્યાના પાપથી અહીને પિતાની મેળે મુનિનાં વ્રત લઈ ત્યાગી થયે અને અણસણ કરી મારી હું અજિતસેન રાજા થયો. પાછલે ભવે તે મારું ગામ ભાગ્યું હતું, તે વૈરને લીધે મેં તારું રાજ્ય બાળપણમાંથી જ પડાવી લીધું અને મેં સાત જણને માર્યા હતા તેઓએ મને તે વૈરને લીધે બાંધી તારી આગળ હાજર કર્યો હતે; માટે જે જે પાપ કરાય છે તેમાંથી ભેગવ્યા વિના છૂટકે થતો નથી. મને પૂર્વના ચારિત્રાભ્યાસને લીધે જ્ઞાન ઉદય આવ્યું, જેથી જાતિમરણ વડે પૂર્વ ભવ જોઈ વિચારી મેં સંયમ અંગિકાર કર્યું, અને તે ચારિત્ર પાળતાં પાળતાં અવધિજ્ઞાન પ્રાપ્ત કરી હું અહીં તારી પાસે આવ્યો, જેથી જેણે જેવાં કર્મ કર્યા તેણે તેવાં સુખ દુઃખનાં ફળ ઉદય આવતાં અનુભવ્યાં. કહો, સદૂગુરૂ સિવાય એવા મર્મને કોણ જાણી શકે?(યશોવિજયજી મહારાજ કહે છે કે આ શ્રી પાળ રાસના ચોથા ખંડ અંદરની આઠમી ઢાળ પૂર્ણ થઈ, તેમાં નવપદજીનો મહિમા ગાવામાં આવ્યો છે, કે જે નવપદજીનો મહિમા ગાય તેમ જ શ્રીજિનરાજને વિનય કરે તે સારો યશ પ્રાપ્ત કરે અને જગતમાં તેનો નિશ્ચય જયજયકાર થાય. -—૨૨ થી ૨૮ દેહા-છંદ ઈમ સાંભળી શ્રીપાલ નૃપ, ચિંતે ચિત્ત મઝાર; અહો અહો ભવ નાટકે, લહિયે ઈસ્યા પ્રકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy