SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦. શ્રીપાળ રાજાનો રાસ. જિમ તાડે તે મુનિને તિમ નૃપને હૂવે રે, હાસ્ય તો રસ મુનિ મન તે રસ શાંત રે; કરી ઉપસર્ગને મૃગયાથી વલ્યા સાતશે રે,નૃપ સાથે તે પહોતા ઘર મન ખાંતરે. સાં અન્ય દિવસ મૃગ પેઠે ધાયો એકલો રે, રાજા મૃગલે પેઠે નઈતટ રાન રે; ભૂલો નૃપ તે દેખે નઈતટ સાધુને રે, બોલે નઈજલમાં મુનિ ઝાલી કાન રે. સાં. ૧૩ કોઈકે કરૂણા આવી કઢાવ્યો નીરથી રે, ઘેર આવીને રાણીને કહી વાત રે, સા કહે બીજાની પણ હિંસા દુ:ખ દીયે રે, જનમ અનંતા દુઃખ દીયે રૂષિઘાત રે. સાંવ રાજા ભાંખે નવિ કરસ્ય ફરી એહવું રે, વીતા કેતાએક વાસર જામ રે; ગેખ થકી મુનિ દીઠે ફિરતો ગોચરી રે, વીસારી રાણીની શિક્ષા તામ રે. સાં૧૫ નગરી વિટાળી ભીખે કહે નૃપ વંદને રે, કાઢે બાહિર એહને ઝાલી કંઠ રે; રાણીયે દીઠા ગોખ થકી તે કાઢતા રે, રાજાને આદેશે લાગા કંઠરે. સાંવ ૧૬ અર્થ –એક વખત તે રાજા સાતસો ઉત્કંઠ-હિંસક પુરુષોની સાથે શિકાર રમવા ગહન વનની અંદર આવ્યો. તે રથને રોગથી પીડાતા એક જૈનમુનિ કાઉસ્સગ ધ્યાન ધરી ઊભા હતા. તેને જોઈ રાજા બે —“આ તો રોગથી પીડાતો કઢિયે છે. એટલું બોલતામાં તે સાતસો ઉદ્ધતએ તે મુનિને ઘણો જ માર માર્યો. જેમ જેમ તેઓ મુનિને મારે છે તેમ તેમ રાજાના મનમાં હાસ્ય ઉપજે છે અને મુનિના મનમાં શાંતરસ પેદા થાય છે. આવી રીતે મુનિને મહા ત્રાસ આપી તે બધાએ શિકાર કરીને પાછા પિતાને મુકામે રાજી થતાં થતાં આવ્યા. વળી, કોઈ દિવસે તે રાજ એકલે જ શિકાર રમવા ગયે ને મૃગને જોતાં જ તેણે ઘોડાને તે પાછળ દોડાવ્ય; પણ હરિફ નાસીને નદી તીરના વનમાં ક્યાંય ભરાઈ પેઠે. તેને જોત જોતો રાજા તે વનમાં ભૂલો પડ્યો. ત્યાં એક મુનિને જયા, એટલે તે મુનિને કાન ઝાલી નદીના પાણીની અંદર ઝબોળવા લાગે; છતાં થોડી વાર પછી રાજાના મનમાં કંઈક દયા આવી તેથી મુનિને પાણીમાંથી બહાર કાઢી પછી તે પિતાને ઘેર ગયે અને તેણે મુનિને ઉપસર્ગ કર્યાની વાત રાણીને કહી સંભળાવી. એટલે રાણી બોલી કે—“હે સ્વામી ! બીજાની હત્યા કરીએ તે પણ દુઃખ દેનારી નીવડે છે, તે ત્રાષિની ઘાત તે અનંતાભવ લગી દુઃખ દેનારી નીવડે એમાં તે કહેવા જેવું જ શું છે?” તે સાંભળી રાજા પાપથી ડરીને બોલ્ય–દેવી ! હવે ફરીથી એવું પાપ કઈ વખત પણ નહીં કરું.” વળી કંઈક વખત ગયા બાદ એક દિવસ રાજાએ રાજમહેલના ઝરૂખામાં બેઠા બેઠા એક મુનિને ગોચરી ફરતાં જોયા કે રાણીની આપેલી શિખામણ–તે પાપ ન કરવાની કરેલી પ્રતિજ્ઞાને વિસરી દઈ પિતાના તોફાની પુરુષોને હુકમ કર્યો છે—“જે સામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy