SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રીપાળ રાજાનો રાસ. દ્રવ્યાપકરણ દેહનાં, વલી ભકત પાન શુચિ ભાવ રે; ભાવ શિચ જિમ નવિ ચલે, તિમ કીજે તાસ બનાવશે. તિટ સં. ૧૮ પંચાવથી વિરમીયે, ઇંદ્રિય નિગ્રહી જે પંચ રે; ચાર કષાય ત્રણ દંડ છે, તમે તે સંજમ સંચરે. ત. સં. ૧૯ બાંધવ ઘન ઈદ્રિયસુખ તણો, વલિ ભય વિગ્રહનો ત્યાગ રે; અહંકાર મમકારનો, જે કરશે તે મહાભાગ રે. જે સં. ૨૦ અર્થ–પતિ ધર્મનો બીજો ભેદ નિરાભિમાનતા ગુણ છે. તે ગુણ જ્યારે અહંકાર-દ્રોહ-મત્સર-ઈર્યા વગેરે દોષોનો ત્યાગ કરે ત્યારે જ પ્રાપ્ત થાય છે. પણ તે ગુણ વિનયને આધિન રહેલ છે; કેમકે અભિમાનનો ત્યાગ થાય તો જ નમ્રતાપણું –વિનય પ્રાપ્ત થાય છે, અને જ્યારે વિનય પ્રાપ્ત થાય ત્યારે જ દેવ-ગુરુ-ધર્મ એ રત્નત્રયી ફળદાયક નીવડે છે. જે જે ગુણે છે તે તે બધા વિનયની પ્રાપ્તિથી જ પ્રાપ્ત થઈ સર્વગુણસંપન્ન થવાય છે. મતલબ એ જ કે વિનય વિના કોઈ પણ ગુણ કોઈને પણ પ્રાપ્ત થઈ શકતો નથી, તેમ સર્વોત્તમ કરણી કરવામાં આવે છતાં પણ જો તેમાં વિનયને સંભાળવામાં ન આવે છે તે તમામ કરણીઓ શૂન્ય જેવી ગણાય છે, માટે જ સાવ ગુણ માનનો ત્યાગ કરવાથી અવશ્ય પ્રકટ થાય છે. અતિ ધર્મને ત્રીજો ભેદ સરલતાપણું છે, તે સરલતા ગુણ જ્યારે કુટિલતા-વાંકાઈ-કપટપણું ઈત્યાદિ માયાના ઘરનું નિકંદન કરવામાં આવે ત્યારે જ પ્રકટ થાય છે, કેમકે જ્યાં લગી કુટિલતા-કપટ વગેરે હોય છે ત્યાં લગી સરલતા-નિષ્કપટતા ગુણ પ્રકટ થવા જ પામતો નથી. તેમ જ સરલતા વગર ધર્મની પણ શુદ્ધિ થતી નથી,-કપટથી કરવામાં આવનારી ધર્મકરણી અશુદ્ધ જ ગણાય છે. જ્યાં લગી આવતા નથી ત્યાં લગી શુદ્ધ ધર્મનું આરાધન થઈ જ શકતું નથી. અને શુદ્ધ ધર્મના આરાધન વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી, માટે જ આત્માના બળવત્તરપણુ વડે શુદ્ધ ચારિત્રના અભ્યદયથી નિર્મળ આત્માના ગે કુટિલતાદિ દષત્યાગ કરી આર્જવગુણ, ધર્મની પુષ્ટિ કરી શકે છે. યતિધર્મનો ચોથો ભેદ શૌચ ગુણ છે. તેના બે ભેદ છે–એક દ્રવ્યશૌચ અને બી ભાવશો. તે પછી દ્રવ્યશૌચ એ કહેવાય છે કે શરીરનાં દ્રવ્યાપકરણ જે હાથ પગ આંગળીઓ વગેરે છે તે બધાં દેહનાં દ્રવ્યાપકરણે, તથા પુસ્તક વસ્ત્ર પાત્રાદિ, કિવા આહારપાળ વગેરેને (રાગ રહિત-બેતાળીશ દેવ વગરના આહાર વગેરેને) ગ્રહણ કરવો તે, અને ભાવશૌચ એ કહેવાય છે કે જે રીતથી આત્માના પવિત્ર અધ્યવસાય ધારણ કરવાવડે મનની કષાય વગેરેથી રહિત શુદ્ધ વૃદ્ધિ પામતી ધારાએ ભાવશૌચ પ્રકટ થાય છે. તે ભાવશૌચ અચળ રહી શકે તેવી રીતે તેને અંગિકાર કરે, એટલે જેમ જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy