SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચો. ૨૨૫ ગ્રહણ કરે, પણ શાંતરસ ગ્રહણ ન કરે, તે તેથી પણ આત્મગુણ પ્રાપ્ત થવા પામતો નથી. કદાપિ કાળે મહતું પુણ્યના યોગથી દેશના શ્રવણ કરી ધર્મતત્વ ગ્રહણ કર્યું; પરંતુ હે સુજનો ! તત્ત્વની વાત પર સહણ-પૂર્ણ પ્રતીતિ આવવી ઘણી જ દુર્લભ છે; કેમકે કેટલાક શ્રોતાએ પોતાનું ડહાપણ વાપરી કહેશે કે-ગુરુ આમ કહે છે, પરંતુ મેં જે વાત ગ્રહણ કરી છે તે આ પ્રમાણે જ હોવી જોઈએ. અથવા હું સમજું છું—એમ કહી ગીતાર્થ ગુરુના વચન તરફ દરકાર ન રાખે, અને કેટલાક શ્રોતાઓ તો ડામાડોળમાં પડી ગર્વમાં ઘેરાઈ ગુરુ વચન પર વિશ્વાસ ન રાખતાં આમ હશે કે તેમ હશે?એવી બ્રમણામાં જ રત રહેવાથી શ્રદ્ધા વિમુખ રહે છે. –૬ થી ૧૦ આપ વિચારે પામીયે, કહે તત્ત્વ તણે કિમ અંત રે; આલસુઆ ગુરુ શિષ્યને, ઈહાં ભાવ જે મન વૃત્તાંત રે. ઈ. સંવેગ૧૧ બઠર છાત્ર ગજ આવતાં, જિમ પ્રાપ્ત અપ્રાપ્ત વિચાર રે; કરે ન તેહથી ઉગરે, તેમ આપ મતિ નિરધાર રે. તે સંવેગ- ૧૨ આગમને અનુમાનથી, વલી ધ્યાન રસ ગુણ ગેહ રે; કરે જે તત્ત્વ ગવેષણ, તે પામે નહિ સંદેહ રે. તે સંવેગ. ૧૩ તત્વ બોધ તે સ્પર્શ છે, સંવેદના અન્ય સ્વરૂપ રે; સંવેદન વંધ્યે હુઈ, જે પશે તે પ્રાપતિ રૂપ રે. જે સંવેગ. ૧૪ તત્વ તે દશવિધ ધર્મ છે, ખત્યાદિક શ્રમણનો શુદ્ધ રે; ધર્મનું મૂલ દયા કહી, તે ખંતિ ગુણે અવિરૂદ્ધ રે. તે સંવેગ) ૧૫ અર્થ–માટે હે શ્રોતાગણ! તમે જ કહો કે આવા આપમતિયા વિચારથી તત્ત્વની વાત કેમ પ્રાપ્ત થઈ શકે ?! જ્યારે ગુરુવચનને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે ત્યારે જ તત્ત્વ પ્રાપ્ત થઈ શકે, પણ જો આ શુભ છે આદરવા ગ્ય છે, અને આ અશુભ છે ને ત્યાગ કરવા યોગ્ય છે, એવી વાત જ્યારે ગુર્નાદિકના મુખેથી સાંભળીને ધારે ત્યારે જ તત્ત્વ પામી શકે તે સિવાય તત્ત્વ પામી શકે નહિ. જ્યારે આળસને છોડી, ધર્મ શ્રવણની રૂચિ લાવી, ગુરૂમુખે શ્રીજિનવચન શ્રવણ કરી, નિઃસંદેહ થઈ, શંકા સમાધાન દ્વારા દૃઢ કરે ત્યારે તત્ત્વ મેળવવા ભાગ્યશાળી થાય. ગુરુ અને શિષ્ય બંને જયારે આળસ રહિત હોય ત્યારે જ તત્વની પ્રાપ્તિ થાય છે. અહિં દ્રષ્ટાંત અન્યદર્શની ગુરૂ શિષ્ય કે જે આળસુ હતા તેનું આપે છે–એક ગુરૂને એક શિષ્યનો સંયોગ મળ્યો છે કે જે બંને આળસુ હતા, અને તે બન્ને ગામની બહાર ઝુંપડી બાંધીને રહેતા હતા. તેઓ વસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy