SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચો. ૨૨૩ રૂચિ ન લાવે તથા ગુરુસેવા પણ ન કરે. એટલું જ નહીં પણ ગુરુ તરફ દુશ્મનતા દેખાડે જેથી તેવાં મનુષ્યો ગુરુને યોગ્ય યોગ હાજર છતાં ધર્મબોધ ન પામી શકે. એ ઉપર દૃષ્ટાંત કહે છે કે-કેઈ એક યોગી ગુરુ અને તેને ચેલ એ બે જણાં ભમતાં ભમતાં એક નગરમાં આવ્યા. ત્યાં ગુરુ નગર બહાર બેઠે, ચેલે ભિક્ષા માટે શહેરમાં ગમે ત્યાં ચેલે સાહકારની હવેલીમાં ગયે. ત્યાં સર્વના હાથમાં સેનાના કડા પહેરેલાં દીઠાં, તેથી તેને પણ સેનાના કડાં પહેરવાની હોંશ થઈ. પછી ભિક્ષા લઈ ગુરુની પાસે આવતાં ગુરુને કહેવા લાગ્યો કે તમે મહને સોનાના કડાં પહેરાવે તે તમારી સેવા કરીશ. ગુરુએ કહ્યું કે–ત્યાગ માર્ગમાં એક પાઈ પણ પાસે ન રખાય તે સોનાના કડાં કયાંથી પહેરાય, જેથી મારે તારે નહિ બને. પછી ગુરુ શિષ્યને ત્યાં પડતો મૂકી ચાલ્યા ગયા. પાછળથી શિષ્ય પિસા પેદા કરવા લાગ્યો. થોડા વખતમાં પૈસા એકઠા કર્યા. પછી તે નગરમાં એક સોની રહેતું હતું તેની મિત્રાઈ કરી. સોની ધૂર્ત છે તેની તે ચેલાને ખબર નથી, તેટલું જ નહીં પરંતુ તેથી પણ વિશેષ તે સની ખળ ધૂર્તને વિશ્વાસઘાતી હતી. કેટલેક વખત વીત્યા બાદ ચેલાએ પોતાના ધંધામાં બે પિસા સાધારણ રીતે ઠીક પેદા કર્યા, એ જાણ સનીને ચેલાએ કહ્યું કે-“ભાઈ મારી પાસે રૂપીયા એકઠા થયા છે, તેનાં સોનાના કડાં બનાવી દે. એથી સોનીએ કહ્યું—“ભાઈ ! હું તારા દાગીના નહીં ઘડી આપું. મારે ચેકસી–નાણાવટી સરાફ-સોની લેકે સાથે અણબનાવ છે, જેથી મારી સાખ બગાડી દીધી છે, માટે તું બીજા સોનીની પાસે ઘડાવી લે. કાલે મારા દ્વેષી લોકો તને ભંભેરી ભૂત બનાવી હેમમાં નાખી દે કે આ દાગીના તો પિતળના છે બહુ ખાઈજી ખાધી છે, તને ઠગી લીધે છે, વગેરે કંઈ વાતની ભ્રમનાજાળમાં તને નાખી દે તો આપણું સ્નેહને ધક્કો પહોંચવાનો વખત લાવી મૂકે, માટે બીજા પાસેથી બનાવી લેવામાં આપણે બંનેને લાભ છે.” આવાં વિશ્વાસ બેસાડનારાં વચન સાંભળી ચેલાને વધારે વિશ્વાસ પેદા થયો. જેથી તેણે કહ્યું કે- હું તારા વગર બીજા સેનીનો વિશ્વાસ જ રાખતા નથી, તું જે કરી દઈશ તે મારે સહી છે. લેક ગમે તે લવારા કરશે, પણ માનવું કે ન માનવું તે મારી મરજી ઉપર છે, માટે તે પોતે જ દાગીના તૈયાર કર.” ચેલાએ આમ કહ્યું છતાં પણ વધારે વિશ્વાસ બેસાડવા સેનીયે દાગીના બનાવી દેવાની ના પાડી. જેમ જેમ તે ના પાડતો ગયો તેમ તેમ ચેલાને તેનું પ્રમાણિકપણું વધારે ઠસતું ગયું. એ બિચારા ભેળા ચેલાને ખબર ન હતી કે આવા ઠગારા મિત્ર વધારે પ્રપંચી હોય છે, તેમ જ ઘણો પ્રમાણિકતાનો ડોળ દેખાડનારા ઘણુ અપ્રમાણિક હોય છે. આમ હવાથી સોનીએ ચેલાને પક્કો વિશ્વાસ બેસાડ્યો, જેથી તેણે તે જ એની મિત્રને દાગીને કરવાનું સેપ્યું. સનીએ પણ સારા ચોખા દાગીના બનાવી તોલ આંકી કીંમતની ચીઠી લખી આપી ચેલાને દઈ વધારે વિશ્વાસ બેસાડી ઠગાઈમાં ફતેહ પામવા દાગીના આપી કહ્યું કે આ દાગીના લઈ સરાફ -નાણાવટી–સેની ચેકસી પાસે જા અને મારું નામ આપ્યા વગર કીંમત કરાવ, જે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy