SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. મારા નામનું નૂર કાયમ ન રહે માટે ના નહીં ! હીંમત રાખે હું પોતે પણ લડવા સામેલ થઉં છું, જેથી હમણાં જ શત્રુ પર જીત મેળવી વિજય વરીશું, પાછા ધસી ધસારે ચલાવે એ શત્રુના પ્રાણ લેવાને જ કાયદો છે. સાપ-બીલાડી–ધનુષ વગેરે પાછાં હઠીને જ સામાના પ્રાણ લે છે; માટે આપણે પણ પાછા હઠી હāો કરીશું તો તેથી અવશ્ય આપણી જીત જ થશે; માટે નાઉમેદ ન થાઓ. અને ફરી એક વાર જોર બતાવો એટલે ફત્તેહના ડંકા થાય. હે નિર્મલકુલમાં પેદા થએલ વીર ! તમે એક વાર ક્ષત્રીનું તેજ વડેથી તાજા થઈ સામે મારો કરો.” આ પ્રમાણે કહી અજિતસેને નાઉમેદ થએલા વીર પુરુષોને ફરી લડવામાં સતેજ કર્યા અને વીરાને પાણી ચડાવત તથા પોતે શસ્ત્ર અસ્ત્ર ચલાવતા શ્રીપાલના લશ્કર ઉપર મારો ચલાવવા લાગે. તેમ જ ફરી સતેજ થએલા વીરે પણ મરણીઆ થઈ કાપાકાપી કરવા લાગ્યા. એ જોઈ સાતસો રાણાઓ કે જે સૈન્યના નાયક હતા તેઓ અત્યાર સુધી સિન્યની બહાદુરી જ જોઈ રહ્યા હતા, તેમણે એકદમ હલ્લો કરી ભારે આવેશ સાથે કાપાકાપી ચલાવીને અજિતસેનને ઘેરી લીધો અને તે અહંકારી પ્રત્યે કહ્યું-“હે રાજન ! હજી સુધી બાંધી મુઠી છે, માટે ગર્વ તજી અમારા સ્વામી શ્રીપાળીમહારાજને કે જે હિતના જાણકાર છે તેમના ચરણ કમળને નમશે તો તમારા બધા ગુન્હા માફ કરી ઉત્તમ બક્ષીશ આપશે. અભિમાન એ જ હિતની હાનિ કરનાર છે. તો તેનો પરિત્યાગ કરી પ્રભુ લાજવામાં તત્પર થાઓ.” જો કે આ પ્રમાણે રાણાઓએ અજિતસેનને હિતવચન કાં તદપિ જે માન-ગર્વને જ પિતાનું સર્વદેવ ધન માને છે, તે મનુષ્ય કદિ પણ કેનિાં હિતવચનો માને જ નહીં; તે રીતે અભિમાની અજિતસેન હિતવચનનો અનાદર કરે છે તે સ્વાભાવિક જ છે. એથી રાણાએના બોલવા તરફ બેદરકારી બતાવી તેઓની સાથે જ લડવા લાગે. એ જોઈ સાતસો રાણાઓને બહુ જ ગુસ્સો ચડતાં તેને તત્કાળ હાથીના હોદ્દામાંથી નીચે પટકી પાડી, મુશ્કેટાટ બાંધી તેઓએ શ્રીપળકુંવરનો યશ પ્રકટ શબ્દથી જાહેર કરી, અભિમાની અજિતસેનને કેદી સ્થિતિમાં શ્રીપાળરાજાના ચરણે લાવી હાજર કર્યો. એટલે વિવેક શિરોમણિ શ્રીપાલરાજાએ કાકાશ્રીને બંધનથી મુકત કરાવી સન્માન આપ્યું; કેમકે ગમે તેમ તો પણ તે વયોવૃદ્ધ અને કાકે હતો, એના લીધે માન જાળવી મધુર વાણીથી કહ્યું- પૂજ્ય કાકાશ્રી આપ આપની જે ભૂમિ છે તે સુખ પૂર્વક લેગ અને જરા પણ મનમાં ખેદ ન કરશે; કારણ કે–પુત્ર અને શિષ્યની આગળ પરાજય પામ એ અધિક શોભારૂપ છે, માટે આપથી હું વિશેષ વિજયવંત કદાચ ગણાયો હોઉં તે તેથી રાજી થવાનું છે, પણ શરમાવાનું નથી. જ્યારે આપથી હું ન્યૂનતાવંત વિજયતા કે કદ્ધિ સિદ્ધિવંત હોઉં ત્યારે ખેદ કરવાની જરૂર ગણાય-એથી મારાથી પરાજિત થવામાં બેદવંત ન થતાં કુળમાં વિશેષ વિજયધારી નીવડશે એમ માની હર્ષવંત થવાની જરૂર છે.” ઈત્યાદિ મિષ્ટ વચન વડે કાકાશ્રીને સંતોષ આપે. આ શીપાલ રાસના ચોથા બંડમાં ચોથી ઢાલ કડખાની દેશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy