SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. اقة નાથ શ્રીપાલ પ્રેમ વડે વીનવવા લાગ્યા–“હે પૂજ્ય માતુશ્રી ! શ્રીસદ્દગુરૂજીએ જે શ્રીનવપદ અર્પણ કર્યા હતા તેનું આરાધન કર્યું હતું તેનું જ આ બધું ફળ મળ્યું છે. તે નવપદજીનો જ મહિમા પ્રત્યક્ષપણે જુઓ કે કે છે? અર્થાત્ આ બધી ચતુરંગી સેના અને સકળ વૈભવ તેમના પ્રતાપે જ પ્રાપ્ત થએલ છે.” જ્યારે પિતાના પૂજ્ય પતિને નમતા જોયા, ત્યારે બીજી આઠે વહૂઓ મર્યાદાપૂર્વક પ્રથમ પૂજ્ય સાસૂજીને પગે પડી, અને તે પછી મોટી બહેન મયણાસુંદરીને પગે પડી. એટલે સાસૂજીએ અને મોટી બહેને તેણીઓને શુભાશિષ આપી, એટલે તેઓએ તે શુભાશિષને માથે ચડાવી અહોભાગ્ય માન્યું. તે પછી શ્રીપાલને વિદેશની અંદર વર્ષ દિવસ દરમ્યાન જે જે સુખ દુઃખ પ્રાપ્ત થયા તેની હકીકત ડાં જ વચનમાં કહી સંભળાવી. –૧૨ થી ૧૬ પૂછે રે મયણાને શ્રીપાલ, તાહરી રે તાત અણુવું કિણ પરેજી; સા કહે કંઠે ધરિય કુહાડ, આવે તો કોઈ આશાતના નવિ કરેછે. કહેવરાવ્યું દૂત મુખે તિણ વાર, શ્રીપાલ તે રાજાને વયડું છે; કોએ રે માલવાજા તામ, મંત્રી રે કહે નવિ કીજે એવડું જી. ૧૮ ચોથે રે ખડે પહેલી ઢાળ, ખંડ સાકરથી મીઠી એ ભણજી; ગાયે જે નવપદ સુજસ વિલાસ, કરતિ વાઘે જગમાં તેહ તણીજી. ૧૯ અર્થ:–તે પછી શ્રીપાળ રાજાએ મયણાસુંદરીને પૂછયું કે- તમારા પિતાને અહિયાં કેવા રંગ ઢંગથી તેડાવું? પતિદેવના કથનનું રહસ્ય સમજી મયણાસુંદરીએ કહ્યું-ખભા ઉપર કુહાડો મૂકી બોલાવવામાં આવે તો ફરીને કઈ વખત શ્રીજિન ધર્મની અશાતનાઅવજ્ઞા કરવા ન પામે.” (કેમકે પ્રાણી માત્રને પોતપોતાનાં પૂર્વકૃત કર્મ કેવાં સુખ દુખ આપે છે તે જૈન રહસ્યની પણ વિશેષ પ્રતીતિ થતાં જન ધર્મના મહા અભ્યદય ફળ વિશેષની પણ વિશેષ પ્રકારે શ્રદ્ધા તેને પ્રાપ્ત થશે. માટે તેવી રીતે આવે તેમ કરો. ) મયણાસુંદરીનું વચન યોગ્ય જાણી શ્રીપાળે તેવી જ રીતે આવવા દૂત દ્વારા પ્રજા પાળ રાજાને કહેણ કહેવરાવ્યું, પરંતુ તે કહેણ સાંભળતાની સાથે જ ગર્વિ રાજા ક્રોધયુક્ત બની ગયે. એ જે પ્રધાને કહ્યું: “નામવર ! આટલે બધે ગુસ્સે ન લાવે, ગુસ્સાના ફળ કદિ સારાં હોતાં જ નથી. કવિ યશોવિજયજી કહે છે કે ખાંડ અને સાકર કરતાં પણ વધારે મિષ્ટ સ્વાદાનુભવ કરાવનારી આ શ્રીપાલ રાસના ચોથા ખંડની આ પહેલી ઢાળ પૂર્ણ થઈ જે મનુષ્ય શ્રી નવપદજીના સુંદર યશને વિલાસ સાથે ગાય છે, તે મનુષ્યની જગતમાં કીર્તિ વધે. –૧૭ થી ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy