SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. ૧૭૭ તિમાં બહુ જ રમણ થતું હતું, માટે તદ્રુપ ધર્મ ન ઓળખે, તેના લીધે મન આદિની એકાગ્રતાએ અનુપમ ભાવ સહિત પૂજા ઉદય ન આવી, તે અનૂપમ ભાવ મને આજે સાંજરે પ્રભુ પૂજન સમયે આવ્યો હતો. અને આ પરચકની ચિંતામાં જ મને એ વાતને અનુભવ જાગે, તેનું લક્ષણ એ જ કે એકતે જે ક્રિયા કરતો હોય તે જ કિયાનો ઉપયોગી હોય, પરંતુ ક્ષેપ જે મનની વ્યગ્રતા તદ્રુ૫ ક્ષેપક દેષાદિ ચુત ન હાય. બીજુ સમય વિધાન એટલે કે આગમની અંદર જે વખતે જે વિધિ કરવાને કહેલ છે, તે વખતે તે જ વિધિ કરવા લાયક શુભ કિયાવિધાન કરતો હોય. ત્રીજું તત્સમયોચિત-તે સમયના યોગ્ય ક્રિયા કરતો હોય તેની અંદર ચિત્ત ઉલ્લાસવંત બને, પરિણામની ધારાની પુષ્ટિ થાય. ચોથું સંસારનો બહુ જ ભય પેદા થાય. અર્થાત્ જન્મ જરાના દુઃખની વ્હીક લાગે. પાંચમું ચમત્કાર ઉપજે એટલે કે તે સમયને લગતી ક્રિયામાં અતિ પુછતર સાધ્યની કારણુતા જોઈ ચિત્તની અંદર અપૂર્વ ચમત્કાર પામે. છઠું રોમેગમ હોય એટલે પુષ્ટ કારણ પ્રાપ્ત થવાને લીધે હર્ષ થતાં રામરાય વિકસ્વર થાય અને અથિર સંસાર ભમવાના ડરથી રૂંવાડાં ઊભા થઈ જાય. સાતમું મહાહર્ષ થાય, આત્મિક સુખાનુભવ થાય—એટલે કે, જેમ આંધળાને આંખોનું તેજ પ્રાપ્ત થતાં, અને લડવૈયાને શત્રુ પર જીત મેળવતાં હર્ષ થાય છે, તેમ અધિક પ્રમોદ તે સમયોચિત કિયા કરવામાં થાય. આ બધાં અમૃતકિયાનાં મુખ્ય લક્ષણ છે. એવાં ચિહેવાળી ક્રિયા આ ભવ અને પરભવમાં અવશ્ય ફળ આપનાર નીવડે છે. જેમ કોઈ રેગીને અમૃતના સ્વાદનો જરા પણ અનુભવ થયું હોય તેને અન્ય એષડ કરવું પડે. જ નહીં, તેમ સંસાર રોગથી પીડિત છે પણ જે એક વખત અમૃતકિયાનો આસ્વાદ અનુભવેલ હોય તે પછી તેને બીજા સાધનની જરૂર ન રહેતાં મોક્ષ જવામાં કશે અટકાવ રહેવા પામતો નથી; માટે હે સાસૂજી ! તે તત્કાળ ફળદાતા ભાવ મને આજે પૂજન વખતે થયે હતો તેના વડે મેં સુંદર ધ્યાન ધર્યું, તેથી તે ધ્યાન દ્વારા મારા ચિત્તને જે અપૂર્વ આનંદ મળે છે, તે આનંદ હજુ લગી પણ મારા હૃદયમાંથી ઉભરાઈ રહ્યો છે તે સમાતો નથી જેના લીધે પ્રતિક્ષણે કારણ વગર પણ મારા રૂંવાડાં ઊભા થઈ અપૂર્વ હર્ષ પ્રદર્શિત કરી રહેલ છે. મતલબ કે અત્યારે મને ભય કે હર્ષ એ બેઉમાંનું રેમ ઊભાં થવાનું એક કારણ નથી; છતાં પણ રામરાજી વિકવર થાય છે જેથી પ્રતીતિ સાથે માનું છું કે, મને આજે અણુધાર્યો વલ્લભજનને મેલાપ થાય; કેમકે નિમિત્તશાસ્ત્રમાં એવું પ્રતીતિ વચન કહેલ છે, તે નિષ્ફળ નહીં જ થશે. તેમ વળી મારૂં ડાબું નેત્ર ફરકે છે અને ડાબું ઉર-હદય પણ ફરકે છે, માટે એથી પણ માનવું પડે છે કે આજે મને મારા વહાલા મળશે જ. તેમ જ આજ અમૃતકિયા પ્રાપ્ત થઈ તે પણ તત્કાળ સિદ્ધિ દેનાર છે માટે અવશ્ય સારું ફળ હમણાં જ મળવું જોઈએ.” –૪ થી ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy