SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજો. ૧૫૩ છે.” આ સંબંધને લીધેથી કુંવરીએ મનમાં હર્ષવંત બની નિશ્ચય કર્યો કે—“ ખચિત મને વાંછિત સંગને મિલાપ થયો છે!” શ્રીપાળકુંવરે જ્યારે પિતાની તરફ કુંવરીની પ્યારભરી લાગણીની નજર જોઈ ત્યારે તે તેણીને જતો પ્રેમ પરીક્ષા માટે વચમાં વચમાં એવું તો ખરાબ રૂપ દેખાડવા લાગે કે જોતાં જ ચિત્ત ફાટી જાય તો પણ કુંવરને હાલી થઈ રહેલી કુંવરી તો વારંવાર કુંવરની પેઠે જ પ્રેમપરીક્ષા જેવા લાગી અને વાર વાર રૂપ પલટવાની રીતિ ધ્યાનમાં લઈ આશ્ચર્યસહ વિચારવા લાગી કે –“અહા ! બાજીગરની બાજી (ગેડિયાવિદ્યા–મદારીના ખેલ) ની જેમ કોઈને ખબર પડતી નથી તેમ, તથા ઘોડાના પેટમાં દેડતી વખતે થતો લુત શબ્દ ક્યાં (કયે ઠેકાણે) થાય છે તેની જેમ કોઈને ખબર પડતી નથી, તેમ આ કુંવરજીના ચરિત્રની પણ કેઈને ખબર–ગસ પડતી નથી. અથવા તે બાજીગરની રમત અને ઘેડાના પેટમાં થતા ડુત શબ્દ જેતજેતામાં બંધ પડી જનાર હોય છે, તેવી જ રીતે આ કુંવરજીએ વામનરૂપ ધર્યું છે, તે પણ ડી જ વેળામાં બંધ પડી જનાર છે; કેમકે કામ જોગ આ રૂપ છે; પણ કાયમ જોગ નથી ! એમ છતાં પણ કદિ કાયમ માટે હોય, તે પણ જે મારું મન એમની સાથે વરવા રાજી છે તે-“મન રાજી હોય તે કાજી શું કરે ?” એ કહેવત મુજબ બીજાઓ શું કરનાર છે?! બસ મારે તે આ જીંદગી પૂર્ણ થતાં લગી આ કુંવરની સાથે જ સત્ય પ્રેમ રહેશે !” એમ નિશ્ચય કરી વ્યવહારને માન દેવા રાજકુંવરી બેઠેલા રાજાઓની હાર ભણી ચાલી. એટલે બધા રાજાઓના ઇતિહાસની માહિતી ધરાવનાર દાસી કુંવરીની સાથે ને સાથે જ બધાઓની ઓળખ આપતી ચાલવા લાગી. એટલે કે તે દાસી એક પછી એક રાજાની રિયાસત–રૂપ-ગુણવય–દેશ વગેરેનું વર્ણન કરી કુંવરીનું મન લલચાવવા વર્ણન કરતી હતી, પરંતુ કુંવરી તે એક પછી એક રાજાના રૂપ-ગુણવય વગેરેમાં દોષ દેખાડતી દેખાડતી આગળ વધતી ચાલી, મતલબ કે એણની કઈ તરફ પ્રેમનજર હતી જ નહી. જેથી કોઈ રાજાનું રૂપ, તથા અવસ્થા કે દેશ વગેરે કશું પણ સારું લાગતું જ ન હતું. તે તો ઉલટી તેઓની બાબતોને જ વખોડી કહાડતી હતી. આથી જ્યારે દાસી જે જે રાજાઓનાં વખાણ કરતી ત્યારે તે તે તે રાજાઓનાં મહે તેજવંત જણાતાં હતાં, પણ જ્યારે દાસીના વખાણ કરી રહ્યા પછી કુંવરી તે દાસીના કથન માત્રને વખોડી દોષવંત દાખવતી હતી ત્યારે તે તે રાજાઓનાં મહીં નિસ્તેજ-ઝાંખાં થઈ જતાં હતાં. (કેમકે આશા નવું જીવન આપનારી અને નિરાશા જીવનને દૂર કરનારી હોય છે એટલે એમ થાય એ સ્વભાવિક જ નિયમ છે.) આમ હોવાથી તે દાસી યશગુણોનું વર્ણન કરતાં થાકી ગઈ કારણ કે હજારો રાજકુમાર પિકી એકે પણ જ્યારે પસંદ ન પડશે ત્યારે પછી દાસી પણ નિરાશ થઈને ચૂપકી પકડે તેમાં નવાઈ શી? મનહારિણી રાજકુંવરી તે શ્રીપાળ કુંવર કે જે કૂબડાના રૂપમાં હતો, છતાં તેમના જ તરફ ધ્યાન લગાવીને વારંવાર નિરખ્યા કરતી હતી. કવિ કહે છે કે-જે કે શેલડી, દહીં, મધ, સાકર અને દ્રાખ એ બધાં જેવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy