SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રીપાળ રાજાને રાસ. (૨) દેશી; દેવિગિર; ખરાડી; અદ્રિકા; લલિતા; હિંડાલી. ( ૩ ) ખિભાસ; ભૂપાલી; કરનાટી; અડહંસ, માલશ્રી અથવા વાઘેશ્વરી; પટમ’જરી. ( ૪ ) ભૈરવી; ગુર્જરી; રેવા; ગુનકલી; બંગાળી; ભલી અથવા હેલી. (૫) મલ્હાર; સારી; આશાવરી અથવા સામેરી; માલકાશ; ગંધાર; રસશૃંગાર અથવા હર શૃંગાર. ( ૬ ) કામેાદી; કલ્યાણી; આહિરી; નાયકી; સારંગ; હમીરનાટ; એ છ રાગની છત્રીશ રાગણીઓનાં નામ કહ્યાં. હવે એકેકા રાગના વળી આડ આઠ પુત્ર છે, તે વારે છએના મળી અડતાલીશ પુત્ર થાય, તેમાં છ મૂળ રાગ અને છત્રીશ રાગિણીઓ મેળવતાં સરવાળે નેવુ' ભેદ થયા. વળી એકેકા રાગની અને રાગિણીની ચાલ તેમાં કોઈની એ, કોઈની ત્રણ, કેાઈની ચાર, કોઈની પાંચ, કોઇની છ, કોઇની સાત થાય. એ સર્વ એના ભેદ જ ગણાય. એમ બીજા પણ એના અનેક પ્રકારે ભેદ થાય છે, કેમકે ચક્રવર્તી પેાતે મૂલ છ રાગને પ્રરૂપે અને તેની સ્ત્રી ૬૪૦૦૦ છે, તે પ્રત્યેક એકેકી સ્ત્રી, વળી નવનવી દેશીએ કરી ભર્તારની સ્તવના કરે, તે વારે ચેસઠ હજાર દેશીએ સર્વ જુદી જુદી રીતે ગવાતાં સ મળી ચેાસ' હજાર ભેદો થાય. તેમજ વાસુદેવની ખત્રીશ હજાર સ્ત્રીએ છૅ, તિહા અત્રીશ હજાર દેશીએ ગવાય તે હાલ પણ અત્રીશ હજાર દેશીઓ ચાલુ છે, કેકે છેલ્લા નવમા કૃષ્ણ વાસુદેવ થઈ ગયા તે વખતે ખત્રીશ હજાર દેશીઓ ગવાતી હતી. તે પછી કાઈ ચક્રવતી થયેા નથી, માટે ખત્રીશ હજાર જ ચાલુ રહેલી છે. એ રીતે રાગના અનેક ભેઢ છે. વળી તે રાગ રાગણીનાં રૂપ, તે જે જે રાગના જેવા જેવા આકાર છે, તેવી રીતે રાગમાલાનાં ચિત્રામણ કરાય છે, તે શાસ્ત્રાક્ત સર્વના રૂપને જુદાં જુદાં તે ગુણસુંદરી જાણે છે, તેના આકાર કરી દેખાડે છે, તથા તેના પૂર્વે કરેલાં આકારને એળખે છે. વળી સ્વર સાત પ્રકારના છે, તેનાં નામ ષડ્જ, રૂષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષધ એ સાત સ્વરનાં નામ કહ્યાં અથવા ૧ સા, ૨ રી, ૩ ગ, ૪ મ, ૫ ૫, ૬ ધ, ૭ ની, એ સાત ભેદ જાણવા. વળી તાલના સાત ભેદ છે તે કહે છે. યૂએ, માડી, પટ્ટુના, રૂપકે, જત્તિ, પડતાલે, એકતાલેા એટલે એકતાલ, દ્વિતાલ, ત્રિતાલ, ઇત્યાદ્રિ તાલના સાત ભેદ જાણવા. વળી તંતુવિતાન એટલે તંતુનું વિસ્તારવું, તિહાં કાઈ વીણા ચાર તંતુની હાય, કાઈ છ તંતુની, કાઇ સાત તંતુની હાય, તેનુ' સકેાચવુ', વિસ્તારવું તેને આકુચન પ્રસારણ કહીએ. તથા વીણા તંતુનું ચડાવવું”, ઉતારવું, તે સ તંતુના વિતાન કહીએ ઈત્યાદ્રિક અનેક વાતે વીણા સબધી છે, તે સ` રાગના ગ્રંથૈાથી જાણવી. એવી રીતે રાગ, ગિણી, રૂપ, સ્વર; તાલ અને તંતુવિતાન, એ છ તેણે કરી સંયુક્ત જે વારે ગુણસુંદરી વીણા બજાવે છે તે વારે તે વીણાને જે શબ્દ તેના ગુણથી રાજિત થયા થકા ચાર મુખને ધારણ કરનારા એવા જે બ્રહ્મા, તે પણ પેાતાના આઠે કાનને સ્થિર કરીને તે વીણા સાંભળવાને ઉજમાલ થાય છે, તે ખીજા સામાન્ય જના સાંભળવાને તત્પર થાય તેમાં તા શુ જ કહેવું ? વળી ( શાસ્ત્ર કે. ) ધર્મ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, આગમશાસ્ત્ર, જયોતિષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy