SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજો. ૧૨૭ આચારે કુલ જાણી રે, જોઈયે હિમેં વિમાસ રે, ચ૦ દુર્બલ કના ન હોઈ હો લાલ. ૧૪ કુંઅને નરપતિ કહે રે, પ્રગટ કહે તુમ્હ વંશ રે, ચ૦ જિણ સસ દરે ટલે હો લાલ; કહે કુંઅર કિમ રે રે, ઉત્તમ નિજ પરશંસ રે, ચ૦ કામેં કુળ લખાવશું હે લાલ. ૧૫ સૈન્ય તમારું સજ કરો રે, મુજ કર ઘો તરવાર રે, ચ૦ તવ મુજ કુળ પરગટ થશે હો લાલ; માથું મુંડાવ્યા પછી રે, પૂછે નક્ષત્ર ને વાર રે, ચ૦એ ઉખાણે સાચા હો લાલ. અથવા પ્રવાહણમાં અછે રે, દય પરણી મુજ નાર રે, ચ૦ ) તેડી પૂછો તેહને હો લાલ; તે કહેશે સવિ માહો રે, ભૂલ થકી અધિકાર રે, ચ૦ ઈણિ પરે કીજે પારખું હો લાલ. અર્થ–બનું ઉપર પ્રમાણે બોલવું સાંભળી રાજા મનમાં ચિંતવવા લાગ્યો— વાત તે ઘણી જ માઠી થઈ ! આ ડૂબનું જે કુટુંબ છે તે ખચિત એનું જ (શ્રીપાલનુંજ) કુટુંબ છે એમાં કશે શક નથી, કેમકે પ્રત્યક્ષપણે સાચી વાત સાબીતી જ આપી રહી છે. ધિક્કોર છે એને કે મારે નિર્મળ વંશ વટલાવી દીધું !” એમ વિચાર કરી જે નિમિત્તશાસ્ત્રના જાણ જેશીના કહેવાથી કુંવર શ્રીપાળને પિતાની કુંવરી પરણાવી હતી તે જેશીને તેડાવ્યો અને રાજા તેને કહેવા લાગ્યો—“મેં તમારા વચનના વિશ્વાસ વડે આને મારી પુત્રી આપી. તો પહેલાથી મને તમેએ એમ કેમ ન કહ્યું કે એ માતંગ એટલે ડૂબચંડાળની જાતિને છે! માટે તું પોતે જ ગુન્હાને પાત્ર છે.” નિમિત્તિ ઉત્તરમાં જણાવ્યું કે–“ સાંભળે મહારાજા મારું ભવિષ્ય જ હું નથી, એ સાચી વાત છે, અને આ ઘણાં માતંગ એટલે હાથિયોનો ધણી છે, નહીં કે માતંગ ચંડાળનો ઘણું છે.” જે કે ભવિષ્યવેત્તાએ આમ સ્પષ્ટ અર્થ કર્યો તે પણ રાજા તેનો અર્થ ન સમજતા હોવાથી કોપવંત થયો અને કુંવર તથા જેશી ઉપર કેપ સાથે ઘાત કરવાની ચિંતવના કરવા લાગ્યો. એટલું જ નહીં પણ તે બન્નેને ઠાર મારવા ઘણા સુભટને તૈયાર કરાવ્યા, એ વાત જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy