SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજો. ૧૦૩ લાગ્યા દેય પિશાચ, કે પીડે અતિ ઘણું રે, કે પીડે. ધવલશેઠનું ચિત્ત, કે વશ નહિ આપણું રે. કે વશ ઉદક ન ભાવે અન્ન, કે ના નિદ્રડી રે, કે નાવે નિદ્રડી રે. ઉલ્લસ વાલસ થાય, કે જક નહીં એક ઘડી રે; કે જક, મુખ મુકે નિસાસ, કે દિન દિન દૂબળે રે, કે દિન દિન, રાતદિવસ નવિ જાય, કે મન બહુ આમળો રે. કે મન અર્થ –ધવળશેઠે ઉપર પ્રમાણે દુષ્ટ વિચાર એના લીધે કર્યો હતો કે કુંવરની બને સુંદરીઓ તેના જેવામાં આવી હતી, જેથી તે દુરાચારીના મનમાં દુષ્ટ કામદેવ વાસ કરી તેના અંગમાં વ્યાપી રહ્યો હતો, તેમ વળી કુંવરની પાસે બહુ જ ધન દીઠું, જેથી તે લઈ લેવા માટે તેને પાપી લેભ વધી પડ્યો હતો. આમ બે પિશાચના વળગાડથી તેને તે પિશાચ ઘણી જ પીડા આપતા હતા, અને તેના લીધે ધવળશેઠનું મન પિતાને વશ હતું જ નહિ. ધવળશેઠને આ પારકાના પ્રવેશથી અન્ન પાણી પર તદ્દન અરૂચિ વધી પડી હતી; નિદ્રા પણ આવતી ન હતી, આકુળ વ્યાકુળ આળસવંત રહ્યાં જ કરતો હતો, ને જપ એક ઘડીભર મળતો ન હતો. બસ એ તે અજંપા સાથે મુખેથી વિશ્વાસ નાખતો ને દિન પરદિન દૂબળે થયે જતો હતો. તેમ જ મનમાં કંઈક ઉથલ પાથલના ગોટાળાઓ આવવાથી તેને રાત દિવસ પણ મહા મુશ્કેલીથી જતાં હતાં. ––૧ થી ૨ ચાર મલ્યા તસ મિત્રકે પૂછે, પ્રેમશું રે, કે પુત્ર કોણ થયો તુમ રોગ, કે ઝૂરે એમ શું રે; કે ઝરોટ કે ચિંતા ઉત્પન્ન, કે કઈક આકરી રે, કે કંઈક ભાઈ થાઓ ધીર, કે મન કાઠું કરી. કે મન કાઠું દુઃખ કહો અમ તાસ, ઉપાય વિચારીયે રે, કે ઉપાય ચિંતાસાયર એહ, કે પાર ઉતારી રે; કે પાર લજ્જા મૂકી શેઠ, કહે મન ચિંતવ્યું રે, કહે મન તવ ચારે કહે મિત્ર, ધિ એ શું લખ્યું રે. કે ધિક પરનારીને પાપ, ભવોભવ બૂડિયે રે, કે ભભવ કિમ સુરતરૂની ડાળ, કુહાડે ઝૂડીએ રે; કુહાડે૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy